Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરની આર્થિક તંગી દૂર કરવા સોમવારે કરો આ ઉપાય઼

Webdunia
સોમવાર, 11 એપ્રિલ 2022 (00:20 IST)
શિવનું નામ માત્ર જ જીવન સુધારવાનો મહામંત્ર છે.  કારણ કે તે કલ્યાણકર્તા જ નહી પણ પરોપકાર અને કલ્યાણના ભાવની પ્રેરણા અને ઉર્જાથી ભરી દે છે. શાસ્ત્રોમાં બતાવેલ શિવ ચરિત્ર અદ્દભૂત ગુણ, શક્તિઓ અને મહિમાથી ભરપૂર હોવા છતા પણ વૈરાગ્ય સંપન્ન છે.
 
શિવના આ ચરિત્રમાં શિવ પરિવારનો પણ સમાવેશ છે. કારણ કે ગૃહસ્થ જીવન માટે શિવ અને તેમનો પરિવાર વિપરિત પરિસ્થિતિ હોવા છતા પણ સાથે રહેવુ તેનુ પ્રમાણ પણ છે.  આ રીતે શિવ પરિવારનો દરેક સભ્ય મા પાર્વતી. ગણેશ અને કાર્તિકની ભક્તિ સંકટમોચક અને શક્તિ સંપન્નતા આપનારી છે.
 
 
આ જ કારણ છે કે શિવ ઉપાસનાનો વિશેષ દિવસ સોમવાર ખોટી પરેશાનીઓમાંથી છુટકારો અને કામનાસિદ્ધિ માટે ભક્તો વચ્ચે વિશેષ મહત્વ રાખે છે. આ દિવસે વ્રત અને પૂજા શુભ માનવામાં આવે છે.  સોમવાર વ્રત શક્ય ન હોય તો શાસ્ત્રોમાં બતાવેલ પૂજાના કેટલાક સરળ ઉપાય શિવ પૂજામાં અપનાવવા પણ કષ્ટોનો અંત કરનારો માનવામાં આવે છે.
 
- જાણો આ સરળ ઉપાય
 
1. શિવ મંદિરમાં અડધો કિલો ચોખા લઈને જવું. આ ચોખા શિવજી સમક્ષ રાખી અને 1 માળા શિવમંત્રની કરવી અને એક મુઠ્ઠી ચોખા લઈ શિવલિંગ પર અર્પણ કરી દેવા. બાકી બચેલા ચોખાને દાનમાં આપી દેવા. આ ઉપાય 5 સોમવાર સુધી કરવો તેનાથી આર્થિક તંગીમાંથી છૂટકારો મળી જાય છે.
 
2. નોકરી ન મળતી હોય તો ઓફિસમાં સમસ્યાઓ થતી હોય તો ખીર બનાવીને કાગડાને ખવડાવવી. આ ઉપાય પણ સોમવારે કરવો તુરંત લાભ થશે.
 
3. સોમવારે દૂધમાં ખાંડ ઉમેરી અને શિવલિંગનો અભિષેક કરવો. તેનાથી બુદ્ધિ તીવ્ર થાય છે.
 
4. સોમવારે ભગવાન શંકરને ચોખા અર્પણ કરો. પરંતુ આ ચોખા ખાસ હોવા જોઈએ. એટલે કે બધા જ ચોખા અખંડ હોવા જોઈએ. ચોખા ચડાવતી વખતે “ઓમ નમ: શિવાય ” મંત્રનો જાપ કરવો.
 
5. પિતૃદોષ દૂર કરવા સોમવતી અમાસ પર કાગડાને રોટલી અને ખીર ખવડાવવી. આ ઉપાયથી પિતૃદોષ દૂર થશે અને કાર્યમાં સફળતા મળવા લાગશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments