Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hartalika Teej 2021: ક્યારે છે કેવડાત્રીજ, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Webdunia
બુધવાર, 8 સપ્ટેમ્બર 2021 (15:33 IST)
હિન્દુ ધર્મમાં ભાદરવા મહિનામાં અનેક વ્રત તહેવાર આવે છે આવે છે.  જેમાથી એક કેવડાત્રીજ પણ છે. હિંદુ પંચાગ મુજબ ભાદરવા મહિનાની શુકલ પક્ષની તૃતીયા તિથિના રોજ કેવડાત્રીજ વ્રત રાખવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રતને મહિલાઓ અખંદ સૌભાગ્ય અને સુખી દામ્પત્યજીવન માટે રાખે છે. આ વ્રતને તમામ વ્રતમાં સૌથી મુશ્કેલ માનવામાં આવે છે કારણ કે તેને પાણી વગર કરવામાં આવે છે. કુંવારી છોકરીઓ યોગ્ય વર મેળવવા માટે હરતાલિકા તીજ વ્રત કરે છે. કેવડાત્રીજ વ્રત માટે સ્ત્રીઓના પિયરથી  શ્રૃંગારનો સામાન, મીઠાઈઓ, ફળો અને કપડા મોકલવામાં આવે છે. જાણો હરતાલિકા તીજ ઉપવાસની તિથિ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ. 
 
કેવડાત્રીજ વ્રત ક્યારે છે?
 
ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની કેવડાત્રીજ તિથિની શરૂઆત - 8 સપ્ટેમ્બર, બુધવારે મોડી રાત્રે 2:33 વાગ્યે 
કેવડાત્રીજ સમાપ્ત - 09 સપ્ટેમ્બરના રોજ રાત્રે 12:18 વાગ્યે સમાપ્ત
આ વ્રત  09 સપ્ટેમ્બરે ઉદય તિથિએ રાખવામાં આવશે.
 
હરતાલિકા વ્રતનુ શુભ મુહુર્ત 
 
કેવડાત્રીજની પૂજા માટે બે શુભ મુહૂર્ત બની રહ્યા છે. પહેલુ શુભ મુહુર્ત સવારે અને બીજુ શુભ મુહૂર્ત પ્રદોષ કાળ એટલે કે સૂર્યાસ્ત પછી બની રહ્યુ છે. 
 
સવારનુ શુભ મુહૂર્ત - કેવડાત્રીજ પૂજા કરવાનો શુભ સમય સવારે 06.03 થી 08.33 સુધી. 
પૂજા માટેનો કુલ સમય 02 કલાક 30 મિનિટનો છે.
પ્રદોષ કાળ પૂજા મુહૂર્ત - પૂજા કરવાનો શુભ સમય સાંજે 06:33 થી રાત્રે 08:51 સુધી
 
કેવડાત્રીજનું મહત્વ - કેવડાત્રીજનું વ્રત કરવાથી પતિને લાંબુ આયુષ્ય મળે છે. એવું માનવામાં આવે છે કે આ વ્રતનું પાલન કરવાથી વ્યક્તિને યોગ્ય વર પણ મળે છે. આ વ્રતની અસરથી સંતાનસુખ પણ મળે છે.
 
કેવડાત્રીજ વ્રતની પૂજા વિધિ (Hartalika Teej 2021 Puja Vidhi)-
 
1. કેવડાત્રીજમાં ભગવાન ગણેશ, ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. 
 
2. સૌ પ્રથમ માટીમાંથી ત્રણેયની મૂર્તિઓ બનાવો અને ભગવાન ગણેશને તિલક કરો અને દુર્વા ચઢાવો.
 
3. ત્યારબાદ ભગવાન શિવને ફૂલો, બેલપત્ર અને શમીપત્ર અર્પિત કરો અને દેવી પાર્વતીને શ્રૃંગારની વસ્તુઓ અર્પણ કરો.
 
4. ત્રણેય દેવતાઓને વસ્ત્ર અર્પણ કરો પછી હરિતાલિકા તીજ વ્રત કથા સાંભળો અથવા વાંચો.
 
5. આ પછી, ભગવાન ગણેશની આરતી કરો અને ભગવાન શિવ અને માતા પાર્વતીની આરતી ઉતાર્યા પછી, ભોગ લગાવો. આ દિવસે પંચામૃત અને કાકડી કેળા જેવી વસ્તુઓનો ભોગ લગાવાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments