Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાનજીની પૂજામાં ભૂલથી પણ ન કરશો આ 5 ભૂલ

Webdunia
શનિવાર, 3 સપ્ટેમ્બર 2022 (06:04 IST)
મીઠું વર્જિત - જે લોકો હનુમાનજીની પૂજા અને મંગળવારે વ્રત કરે છે તેમને આ દિવસે મીઠાનુ સેવન ન  કરવું જોઈએ. જે પણ વસ્તુ દાન આપો ખાસ રૂપથી મીઠાઈ તો તે દિવસે પોતે ગળી વસ્તુનું  સેવન ન કરવું.સ્ત્રીઓએ  હનુમાનજીની પૂજા અને સ્પર્શ ન કરવો

રામભક્ત હનુમાન સીતાજી માં માતાના દર્શન કરતા હતા અને બાળ બ્રહ્મચારીના રૂપમાં સ્ત્રીના સ્પર્શથી દૂર રહેતા  તેથી માતા સ્વરૂપ મહિલા  પૂજા કરે કે  તેમનો સ્પર્શ એવુ તેઓ પસંદ કરતા નહોતા.  પણ  જો મહિલાઓ ઈચ્છે તો હનુમાનજીના ચરણોમાં દીપ પ્રજ્વલ્લિત કરી શકે છે. પણ તેમનેસ્પર્શ ન કરવુ જોઈએ તેમને ચાંદલો ન કરવું અને વસ્ત્ર પણ અર્પિત ન કરવું.
 
લાલ રંગ  પ્રિય - ભૂલથી પણ કાળા કે સફેદ વસ્ત્ર ધારણ કરીને હનુમાનજીની પૂજા ન કરવી. આવું કરવાથી પૂજાના નકારાત્મક અસર પડે છે. હનુમાનજીને લાલ રંગ પ્રિય છે. તેથી તેની પૂજા લાલ અને જો લાલ ન હોય તો પીળા વસ્ત્રમાં જ કરવી.
 
શુદ્ધતાનુ રાખો ધ્યાન  - હનુમાનજીની પૂજામાં શુદ્ધતાનું ખૂબ મહત્વ છે, તેથી મંગળવારે તેમની પૂજા કરતી વખતે  પૂજા કરતા સમયે તન મનની સંપૂર્ણ સફાઈ કરી  લો. એટલે કે માંસ કે દારૂ વગેરે સેવન કરી ભૂલથી પણ હનુમાનજીના મંદિર ન જવું અને ન તો  ઘરે તેમની પૂજા કરવી. નહી તો હનુમાનહી ક્રોધિત થઈ ભયંકર સજા આપી શકે છે. પૂજનના સમયે ખોટા વિચારની તરફ મનને ન ભટકવા દો.
 
શાંતિપ્રિય હનુમાન - જો તમારું મન અશાંત છે અને તમે ક્રોધમાં છો ત્યારે હનુમાનજીની પૂજા ન કરવી. શાંતિપ્રિય હનુમાન આવી પૂજાથી પ્રસન્ન થતા નથી અને પૂજાનુ ફળ પણ મળતુ નથી. 
 
આ પણ ધ્યાન રાખો
 
હનુમાનજીની પૂજામાં ચરણામૃતનો પ્રયોગ થતો નથી  આ સાથે જ ખંડિત કે તૂટેલી મૂર્તિની પૂજા કરવી પણ વર્જિત છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દરેક સમયે અનુભવાય છે થાક અને કમજોરી ? ડાયેટિશિયન એ બતાવ્યા હોમમેડ ડ્રિંક્સ જે એનર્જી કરશે બુસ્ટ

Janmashtami Makeup: જન્માષ્ટમી પર રાધા રાણીની જેમ તૈયાર થઈ જાઓ, ડ્રીમી મેકઅપ કેવી રીતે કરવો તે શીખો

આજે રાંધણ છઠ પર શુ બનાવશો, જોઈ લો રાંધણ છઠ વાનગીઓની લિસ્ટ

Teachers Day Gift Ideas: શિક્ષક દિવસ પર ગુરુજનોને આપો આ ખાસ અને યાદગાર ભેટ

જન્માષ્ટમી પર નિબંધ - Janmashtami Essay in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

જન્માષ્ટમી પહેલા ઘરે લાવો આ 5 શુભ વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ અને દૂર થશે દરેક પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 સપ્ટેમ્બર 2026

જન્માષ્ટમી પર નિબંધ - Janmashtami Essay in Gujarati

Randhan Chhath - રાંધણ છઠનું મહત્વ

Krishna Katha- શ્રીકૃષ્ણ ભગવાનની કથાઓ

આગળનો લેખ
Show comments