Webdunia - Bharat's app for daily news and videos

Install App

આર્થિક તંગીથી પરેશાન છો, તો શુક્રવારે કરો આ વિશેષ ઉપાય, માતા લક્ષ્મી તમારા પર કૃપા કરશે

Webdunia
શુક્રવાર, 12 જૂન 2020 (08:30 IST)
જીવનમાં પૈસાનું શું મહત્વ છે તે આપણે બધા જાણીએ છીએ અને તેના વિના આપણને આમ તેમ ફરવુ પડે છે.   દરેક પોતાના પરિવારને સુખી જીવન આપવા માટે સખત મહેનત કરે છે. પરંતુ  ઘણી વખત થાય છે કે સખત મહેનત પછી પણ તેને ફળ મળતું નથી અને આર્થિક સંકટ તમને પરેશાન કરે છે. વ્યક્તિને શું કરવું તે સુઝ નથી પડતી.. એવુ તે શુ કરવુ કે ઘરમાં સદા મા લક્ષ્મીનો વાસ રહે. 
 
જો તમને પણ આવી જ આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અથવા તમારા ધંધા કે કાર્યસ્થળમાં કોઈ સમસ્યા આવી રહી છે, તો શુક્રવારે કેટલાક વિશેષ ઉપાય કરી શકાય છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ શુક્રવારે પૂરા હૃદયથી લક્ષ્મી માતાની પૂજા કરે છે અને આ ઉપાયોનો કરે છે, તો તેને જીવનમાં કોઈ મુશ્કેલી નહીં આવે.
 
જો તમે ઇચ્છો છો કે તમારા ભંડાર પૈસાથી ભરાઈ જાય, તો શુક્રવારે રાત્રે 10 વાગ્યે ઘરની અંદર રાખેલી પાટલા પર એક કળશ સજાવી દો. તેના પર કેસરથી  સ્વસ્તિક પ્રતીક બનાવો. ત્યારબાદ તે કળશમાં પાણી ભરો. તેમાં દુર્વા, ચોખા અને 1 રૂપિયો પણ નાખો. આ પછી ચોખાને એક નાનકડી પ્લેટમાં ભરો અને આ પ્લેટ પાટલા પર મુકેલા કળશ પર મુકો. ત્યારબાદ શ્રીયંત્રની સ્થાપના કરો અને ચોમુખી દીવો પ્રગટાવીને કુમકુમ અને ચોખાથી  પૂજા કરો. કળશની પૂજા કર્યા પછી 10 મિનિટ સુધી માં લક્ષ્મીનું ધ્યાન કરો.
 
એવું માનવામાં આવે છે કે શુક્રવારે આ ઉપાય કરવાથી જીવનમાં વ્યક્તિની બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે અને પરિવારમાં તમામ પ્રકારની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. પરંતુ ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે આ ઉપાય કરો ત્યારે બીજા કોઈએ પણ તેના વિશે કશુ કહેશો નહી.  જો તમે આ વાત ગુપ્ત રાખશો, તો તમને જલ્દી ફાયદો થશે. બીજી બાજુ, જો તમે કોઈને કહેશો તો તો તમારું કાર્ય ક્યારેય સફળ નહી થાય. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

વધુ જુઓ..

નવીનતમ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments