Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ekdant Sankashti Chaturthi 2021 : એકદંત સંકષ્ટી ચતુર્થી, ભગવાન ગણેશને ખુશ કરવા માટે કરો આ 3 કામ

Webdunia
શનિવાર, 29 મે 2021 (08:12 IST)
આજે એકદંત સંકષ્ટી ચતુર્થી છે. આ દિવસે વિધિ-વિધાનથી ભગવાન ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા - અર્ચના કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીની પૂજાથી જ થાય છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવું ખૂબ સરળ છે. ભગવાન ગણેશ પોતાના ભક્તોથી ખૂબ જ  જલ્દી પ્રસન્ન થાય છે. આવો જાણીએ ગણેશજીને પ્રસન્ન કરવા માટે શું કરવું જોઈએ 
 
ભગવાન ગણેશને દૂર્વા અર્પિત કરો 
 
ભગવાન ગણેશને દુર્વા ઘાસ અતિપ્રિય છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે તેમને દુર્વા ઘાસ જરૂર ચઢાવો.  જે ભક્ત ભગવાન ગણેશને દુર્વા ઘાસ ચઢાવે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે.  તમે રોજ પણ ભગવાનને દુર્વા અર્પિત કરી શકો છો. જો તમારા કાર્યોમાં વારેઘડીએ વિઘ્ન આવે છે તો ભગવાન ગણેશને દુર્વા જરૂર અર્પણ કરો. આ કરવાથી તમારા કાર્યોમાં આવતા વિઘ્ન દૂર થશે. 
 
ભગવાન ગણેશને સિંદૂર ચઢાવો 
 
ભગવાન ગણેશને ખુશ કરવા માટે તેમને સિંદૂર પણ લગાવો.  સિંદૂર લગાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે. ભગવાન ગણેશને સિંદૂર લગાવ્યા પછી એ સિંદૂર તમારા કપાળ પર પણ લગાવો. ભગવાન ગણેશને સિંદૂર લગાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તમે દરરોજ પણ ભગવાન ગણેશને સિંદૂર લગાવી શકો છો.
 
ભગવાન ગણેશને ભોગ લગાવો 
 
ભગવાન ગણેશને લાડુ અને મોદક ખૂબ પસંદ હોય છે. સંકષ્ટ ચોથના દિવસે ભગવાન ગણેશને લાડુ અને મોદકનો ભોગ જરૂર લગાવો. ભગવાનને ભોગ લગાવ્યા પછી પ્રસાદના રૂપમાં લાડુ અને મોદકનુ સેવન કરી લો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

શેકેલા કે બાફેલા ચણા, વજન ઘટાડવા માટે કયા ચણા ફાયદાકારક છે?

વધુ જુઓ..

નવીનતમ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments