Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંગળદોષ દૂર કરવા માટે મંગળવારે કરો આ 5 ઉપાય

Webdunia
મંગળવાર, 5 એપ્રિલ 2022 (00:33 IST)
નવ ગ્રહ કુંડળીના વિવિધ ભાવોનુ પ્રતિનિધિત્વ કરે છે અને પોતપોતાના સ્વભાવ મુજબ એ ભાવોને પ્રભાવિત કરે છે.   તેના આધાર પર જ્યોતિષ વિદ્યામાં કુંડળીને વિવિધ દોષોથી ગ્રસ્ત પણ જોવામાં આવે છે. જેમાંથી એક મંગળદોષ પણ છે. મંગળદોષથી પ્રભાવિત વ્યક્તિને માંગલિક કહેવામાં આવે છે.   એક વિદ્વાન જ્યોતિષ જ કોઈ વ્યક્તિની કુંડળી જોઈને બતાવી શકે છે કે સંબંધિત વ્યક્તિનો મંગળ કેટલો ભારે છે કેટલો લાભદાયક કે નુકશાનદાયક હોઈ શકે છે. 
 
જો કોઈ વ્યક્તિની જનમ કુંડળીમાં મંગળ અશુભ છે તો તેને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. લગ્નમાં મોડુ થાય છે કે પછી બહુ જલ્દી જ લગ્ન થઈ જાય છે.  ધન સંબંધમાં પણ  ઘણી સમસ્યાઓ ચાલતી રહે છે.  ઘર જમીન સંપત્તિ ને લઈને તનાવનો સામનો કરવો પડે છે. 
 
જમીન સંબંધિત કામ કરનારા લોકોને મંગળ સૌથી વધુ પ્રભાવિત કરે છે. પ્રોપર્ટીના સોદા કે વ્યવસાય પર મંગળની સીધી અસર પડે છે. જો તમારી કુંડળીમં મંગળ અશુભ સ્થિતિમાં છે તો તમે મંગળના અશુભ પ્રભાવોથી ગ્રસિત છો તો મંગળવારે આ ઉપાયોથી તમે મંગળને શાંત કરી શકો ક હ્હો.  આ ઉપાયોથી મંગળદેવ તમારી પરેશાનીઓ દૂર કરી શકે છે. 
 
તો આવો જાણીએ મંગળ દોષ દૂર કરવાના સરળ ઉપાય 
 
મંગળ દોષના નિવારણ માટે હનુમત આરાધનાથી  વિશેષ અને શુભ ફળ પ્રાપ્ત થાય છે. મંગળદોષથી પીડિત વ્યક્તિએ મંગળવારનુ વ્રત જરૂર કરવુ જોઈએ અને આખો દિવસ પવનપુત્ર હનુમાનનુ ધ્યાન કરવુ જોઈએ. 
 
બીજો ઉપાય છે વાંદરોને ગોળ અને ચણા ખવડાવો 
 
મંગળવારના દિવસે હનુમાનજીના ચરણો પરથી સિંદુર લઈને તમારા માથા પર તેનો ટીકો કરવો જોઈએ અને વાંદરાઓને ગોળ અને ચના ખવડાવવા જોઈએ. 
 
સુંદરકાંડનો પાઠ 
 
સુંદરકાંડનો પાઠ હનુમાનાષ્ટક મંત્ર અને બજરંગ બાણનો જાપ કરવો જોઈએ. આ ઉપરાંત મંગળવારના દિવસે કોઈ લાલ વસ્ત્રમાં મસૂરની દાળને લપેટીને ભિખારીને દાન કરવી જોઈએ. 
 
લાલ પત્થર - મંગળદોષથી પીડિત વ્યક્તિ જો ખુદ પોતાના ઘરનુ નિર્માણ કરાવે છે તો તેને લાલ રંગના પત્થરનો પ્રયોગ જરૂર કરવો જોઈએ 
 
ઉતાવળમાં કોઈપણ નિર્ણય ન લેશો 
 
સાથે જ આ ખૂબ જરૂરી છે કે દરેક વસ્તુઓમાં ઉતાવળ કરવાનો સ્વભાવ હોવા ચહ્તા તમારે સમઝ્યા વિચાર્યા વગર કોઈપણ નિર્ણય લેવાથી બચવુ જોઈએ.  મંગળદોષ વ્ય્કતિને ઉતાવળીયો બનાવે છે. તમારે તમારા વિવેકનો ઉપયોગ કરીને આ કમીને પાર કરવી જોઈએ. 
 
ઘરમાં લાલ છોડ લગાવો - મંગળદોષથી પીડિત વ્યક્તિ માટે તમારા ઘરની બાલકની કે ચોકમાં લાલ રંગના ફુલવાળો છોડ લગાવો અને તેમની સેવા કરવી ખૂબ સારી રહેશે. 
 
હનુમાનજીની કૃપા - હનુમાન આરાધાના એક રામબાણ છે જે તમને બધી તકલીફોથી ઉગારી શકે છે.  કારણ કે હનુમનાજીને અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિયોના સ્વામી માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે જો તેમની કૃપા હોય તો કોઈપણ ગ્રહ તમને કષ્ટ નથી પહોંચાડી શકતુ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments