Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mangalwar Na Upay: મંગળવારે જરૂર કરો આ હનુમાનજીના આ ઉપાય, દરેક મનોકામના થશે પુરી

Webdunia
મંગળવાર, 26 એપ્રિલ 2022 (00:19 IST)
મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત છે. એવુ કહેવાય છે કે આ દિવસે શ્રદ્ધાપૂર્વક હનુમાનજીની પૂજા કરવામાં આવે તો પવન પુત્ર હનુમાનની કૃપા પ્રાપ્ત થવા માંડે છે અને સંકટોનો નાશ પણ થઈ જાય છે.  આ દિવસે સંકટ મોચનની વિધિપૂર્વક પૂજા કરવા અને કેટલાક ઉપાય અપનાવવાથી જીવનની બધી પરેશાનીઓ અને સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે. મંગળવારે  કરવામાં આવેલા ખાસ ઉપાયથી હનુમાનજી પ્રસન્ન થઈને પોતાનો આશીર્વાદ પ્રદાન કરે છે અને ભક્તોની બધી મનોકામનાઓ પુર્ણ પણ કરે છે. સાથે જ જ્યોતિષિઓનુ માનીએ તો મંગળવારે કરવામાં આવેલા ઉપાયો કરવાથી રાજ્યોની પ્રાપ્તિ થઈ જાય છે. તો ચાલો જાણીએ હનુમાનજીને પ્રસન્ન કરવઆ માટે કયા ખાસ ઉપાય કરવા જોઈએ તેના વિશે... 
 
- જ્યોતિષ અનુસાર હનુમાનજીને જલ્દી પ્રસન્ન કરવા માટે મંગળવારે બજરંગબલીને કેસર સિંદૂર ઘી ચઢાવવું જોઈએ.
- માન્યતા અનુસાર મંગળવારના દિવસે મંદિરમાં જઈને રામ નામનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને આવનારી મુશ્કેલીઓનો પણ અંત આવે છે.
-જો શક્ય હોય તો મંગળવારે ઉપવાસ કરવો જોઈએ અને ગરીબોને ભોજન કરાવવું જોઈએ. આમ કરવાથી હનુમાનજીની કૃપાથી ક્યારેય પૈસા અને ભોજનની કમી નથી આવતી.
- જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો તો તમારે મંગળવારે ચોલા ચઢાવવા જોઈએ. આ દિવસે સુંદરકાંડના પાઠ કરવાથી બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીને ગોળ અને ચણા અર્પણ કરો.
- કહેવાય છે કે મંગળવારના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા બાદ વડના ઝાડના પાન પર લાલ પેનથી પોતાની ઈચ્છા લખીને હનુમાનજીના ચરણોમાં અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
- જો તમે નોકરી શોધી રહ્યા છો તો મંગળવારે હનુમાનજીને સોપારી ચઢાવવી જોઈએ. આમ કરવાથી તમને સફળતા મળશે.
- જો રાત્રે ખરાબ સપના આવવા લાગે તો મંગળવારના દિવસે ફટકડીને પગ પર રાખીને પગથી દૂર કરીને તેને કોઈ એકાંત સ્થાન પર ફેંકી દેવી જોઈએ.
- મંગળવારે હનુમાનજીની સામે બેસીને શ્રી રામચંદ્રના કોઈપણ મંત્રનો જાપ કરો. આમ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જ્યાં સુધી મનોકામના પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ઉપાય ચાલુ રાખવો જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Chanakya Niti: લગ્ન પછી પુરુષોએ ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, લગ્ન જીવન પર પડી શકે છે ખરાબ અસર

યુરિક એસિડ વધતા શરીરના આ ભાગોમાં થાય છે તીવ્ર દુખાવો, ભૂલથી પણ તેને અવગણશો નહીં

How to get Pregnant- શું તમે જાણો છો કે ઝડપથી ગર્ભવતી થવા માટે શું કરવું? ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો

ફુદીનો લીંબુ શિકંજી ગોંદ કતિરા શિકંજી રેસીપી

Mesh Rashi Names For Boy- મેષ રાશિના છોકરાનું નામ

વધુ જુઓ..

નવીનતમ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments