Festival Posters

Dev deepawali 2025: 5 નવેમ્બરના દિવસે આટલા દિવાથી રોશન કરો તમારુ ઘર, જાણો દેવ દિવાળીમાં દિવાની સંખ્યાનુ મહત્વ

Webdunia
મંગળવાર, 4 નવેમ્બર 2025 (15:59 IST)
4
Dev deepawali 2025: કારતક મહિનાની પૂનમના દિવસે દેવ દિવાળી ઉજવાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ ભગવાન શિવે આ દિવસે ત્રિપુરાસુરન વધ કરી સમસ્ત સૃષ્ટિને તેના અત્યાચારોથી મુક્તિ અપાવી હતી.  ત્યારબાદ બધા દેવી-દેવતાઓએ ધરતી પર આવીને ગંગા સ્નાન કર્યુ હતુ અને ગંગા તટ પર અસંખ્ય દીવા પ્રગટાવ્યા હતા.  ત્યારથી કાર્તિક પૂર્ણિમાના દિવસે દિવો પ્રગટાવવા અને દેવ દિવાળીના રૂપમાં ઉજવવાની પરંપરા ચાલી રહી છે.  ભગવાન શિવ દ્વારા ત્રિપુરાસુરને સમાપ્ત કરવાને કારણે કાર્તિક પૂર્ણિમાને ત્રિપુર પૂર્ણિમા કે ત્રિપુરારી પૂર્ણિમા પણ કહે છે.  દેવ દિવાળીના દિવસે હરિદ્વાર અને કાશીમાં વિશેષ આયોજન થાય છે અને આ દિવસે ગંગા ઘાટ અસંખ્ય દિવાની રોશનીથી જગમગી ઉઠે છે. આ દિવસે ભગવાન શિવ અને વિષ્ણુની પૂજાનુ વિશેષ મહત્વ છે.  
 
દેવ દિવાળીનુ મહત્વ 
દેવ દિવાળીના દિવસે ચતુર્માસ વ્રતની સમાપ્તિનુ પ્રતિક પણ છે.. આ ઉપરાંત એવુ માનવામાં આવે છે કે ભગવાન શિવે આ દિવસે ત્રિપુરાસુરનો વધ કર્યો હતો.  જેનાથી દેવતા પ્રસન્ન થઈને પૃથ્વી પર આવ્યા અને દીપ પ્રગટાવીને ઉત્સવ ઉજવ્યો.  
 
કાર્તિક પૂર્ણિમા તિથિ 
પંચાગ મુજબ કાર્તિક પૂર્ણિમાની તિથિ મંગળવાર 4 નવેમ્બર રાત્રે 10:36 વાગે શરૂ થશે અને બુધવાર 5 નવેમ્બર સાંજે 6:48 વાગે સમાપ્ત થશે. ઉદયા તિથિના આધાર પર આ તહેવાર બુધવારે ઉજવાશે.  
 
પ્રદોષ કાળ પૂજા મુહૂર્ત 
કાર્તિક પૂર્ણિમાના દિવસે પ્રદોષકાળ પૂજાનુ વિશેષ મહત્વ છે. બુધવારે સાંજે 5:15 થી 7:50 સુધી પૂજાનુ શુભ મુહૂર્ત રહેશે. આ દિવસે પૂજામાં સુખ-સમૃદ્ધિ માટે શિવ ચાલીસા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. 
 
ઘરમાં પ્રગટાવવા જોઈએ 51 દિવા 
કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીનો તહેવાર પણ ઉજવાય છે. આ દિવસે ઘરના મુખ્ય દ્વાર, તુલસીના કુંડા, પીપળો, આમળા અને મંદિરમાં દિવો જરૂર પ્રગટાવવો જોઈએ. દિવો પ્રગટાવવાની  5, 7, 9, 11, 13, 51 એટલે કે વિષમ સંખ્યામાં દિવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.  
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઘરમાં 51 દીવા પ્રગટાવવા એ પૂર્ણતાનું પ્રતીક છે. તેમાથી 27 નક્ષત્રો માટે 27 દીવા, પંચપાલના નામના 5 દીવા, 10  દીપપાલના નામથી, ચાર દિશાઓ માટે 4  દીવા અને ઘરના મંદિર, રસોડામાં, આંગણામાં અને તુલસીના છોડ પાસે દિવા પ્રગટાવવામાં આવે છે. 
 
દેવ દિવાળી પર દાનનુ મહત્વ 
દેવ દિવાળીના દિવસે ચોખા, દૂધ, ઘી અને સફેદ વસ્ત્રનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. તુલસીના છોડની પૂજા અને દાનથી વિવાહ અને સંતાન પ્રાપ્તિમાં આવનારા અવરોધો દૂર થાય છે.  આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની પૂજા કરવી અને અર્ધ્ય આપવાથી સકારાત્મક ઉર્જા અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.  આ દિવસે ચંદ્ર દોષ કરવા માટે સફેદ વસ્ત્ર અને ચાંદીનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic Day Parade - જાણો કોણ બની શકે છે ભારતના રાષ્ટ્રપતિનો બોડીગાર્ડ?

World River day - નર્મદા નદી વિશે માહિતી / Narmada river

તલનું શાક કેવી રીતે બનાવવી

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

તમાલપત્ર પાણી પીવાના ફાયદા, વજન ઘટાડવા માટે કેટલા દિવસ પીવું જોઈએ, આ બિમારીમાં પણ છે લાભકારી

વધુ જુઓ..

નવીનતમ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

Ratha Saptami 2026: આજે રથ સપ્તમી 2026 ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

આગળનો લેખ
Show comments