Festival Posters

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Webdunia
શનિવાર, 10 મે 2025 (00:17 IST)
Buddha Purnima 2025: દર વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ વૈશાખ પૂર્ણિમાના દિવસે થયો હતો. આ ઉપરાંત, આ જ દિવસે, સાત વર્ષની કઠોર તપસ્યા પછી, ભગવાન ગૌતમ બુદ્ધને બિહારના બોધગયાના બોધિવૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. માન્યતાઓ અનુસાર, બુદ્ધનું મહાપરિનિર્વાણ પણ આ દિવસે ઉત્તર પ્રદેશના કુશીનગરમાં થયું હતું. બુદ્ધ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને દાન કરવાનું ખૂબ મહત્વ છે. આનાથી વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરે છે અને ઘણું આગળ વધે છે. જો ગંગા જેવી કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો પાણીમાં થોડું ગંગાજળ ઉમેરીને સ્નાન કરો. ઉપરાંત, તમારી ક્ષમતા મુજબ કંઈક દાન કરો. તો ચાલો જાણીએ કે આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે.
 
બુદ્ધ પૂર્ણિમા 2025 તારીખ અને મુહૂર્ત
પંચાંગ મુજબ, વૈશાખ શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ 11 મેના રોજ રાત્રે 8:01 વાગ્યે શરૂ થશે. પૂર્ણિમાની તિથિ 12 મેના રોજ રાત્રે 10:25 વાગ્યે સમાપ્ત થશે. આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા 12 મે 2025 ના રોજ ઉજવવામાં આવશે.
 
બુદ્ધ પૂર્ણિમાનું મહત્વ 
વૈશાખ મહિનાની બુદ્ધ પૂર્ણિમાને ગૌતમ બુદ્ધના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગૌતમ બુદ્ધનું જન્મ નામ સિદ્ધાર્થ ગૌતમ હતું. ગૌતમ બુદ્ધ એક આધ્યાત્મિક ગુરૂ  હતા જેમના ઉપદેશોથી બૌદ્ધ ધર્મનો જન્મ થયો. બૌદ્ધો માટે, બોધગયા ગૌતમ બુદ્ધના જીવન સાથે સંબંધિત સૌથી મહત્વપૂર્ણ તીર્થસ્થળ છે. બોધ ગયા ઉપરાંત કુશીનગર, લુમ્બિની અને સારનાથ અન્ય ત્રણ મહત્વપૂર્ણ તીર્થસ્થાનો છે. એવું માનવામાં આવે છે કે ગૌતમ બુદ્ધને બોધગયામાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને તેમણે સૌપ્રથમ સારનાથમાં ધર્મ શીખવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breakfast Ideas Tips- નાસ્તામાં સ્વાદિષ્ટ અને હેલ્દી ઓટ્સ-સોજી ઇડલી બનાવો.

શિવાજી ના ઘોડા નું નામ

સાંધાના દુખાવાથી મળશે કાયમી છુટકારો: યૂરિક એસિડ ઘટાડવા માટે અપનાવો આ સરળ આયુર્વેદિક અને ઘરેલુ નુસખાઓ

છત્રપતિ શિવાજી મહારાજના સુવિચાર - Shivaji Jayanti Wishes in Gujarati

Baby Names in Sanskrit- છોકરીઓ માટે શાહી સંસ્કૃત નામો

વધુ જુઓ..

નવીનતમ

રાધા ચાલીસા

Guruwar Na Upay: ગુરૂવારે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ 2 વસ્તુ, સુખ સૌભાગ્યમાં થશે વૃદ્ધિ

સાંઈ બાબાના ભક્ત છો તો જાણો ગુરૂવારે જ શા માટે કરાય છે સાંઈ બાબાની પૂજા

Ramzan 2026- રમઝાન શરૂ, જાણો આ પવિત્ર મહિના દરમિયાન શું કરવું અને શું ન કરવું

Ramzan special - જાણો રોજામાં શુ ખાશો શુ નહી

આગળનો લેખ
Show comments