Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારે અહી બાંધો કાળો દોરો, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા

Webdunia
હકીકતમાં કાળો દોરો બાંધવાના વૈજ્ઞાનિક કારણ પણ છે. આપણુ શરીર પંચ તત્વોથી મળીને બન્યું છે. આ પંચ તત્વ- પૃથ્વી, હવા, અગ્નિ, જળ અને આભ. તેનાથી મળતી ઉર્જા આપણા શરીરનું સંચાલન કરે છે. તેનાથી મળતી ઉર્જાથી જ આપણે સર્વસુવિધાને પ્રાપ્ત કરીએ છે. જ્યારે કોઈ માણસની ખરાબ નજર આપણને લાગે છે ત્યારે આ પંચ તત્વોથી મળતી સંબંધિત સકારાત્મક ઉર્જા આપણા સુધી પહોંચી શકતી નથી. તેથી ગળામાં કાળો દોરો બાંધીએ છીએ. કેટલાક લોકો કાળો દોરામાં ભગવાનના લૉકેટ પણ ધારણ કરે છે તેને ખૂબ શુભ માને છે.
 
ખરાબ નજરથી બચવા માટે કાળા રંગની વસ્તુઓ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કાળો દોરો પહેરવાથી લઈને કાળો ટિકો લગાવવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે. કાળો રંગ, નજર લગાવવાની એકાગ્રતાને ભંગ કરી નાખે છે. જેના કારણે નકારાત્મક ઉર્જા સંબંધિત માણસને પ્રભાવિત કરી શકતી નથી. 
 
કાળો દોરો નજરથી તો બચાવે છે સાથે જ તેની સાથે સંકળાયેલો એક ઉપાય તમને માલામાલ બનાવી શકે છે. તમે બજારમાંથી રેશમી કે સૂતરનો દોરો લઈ આવો અને કોઈ પણ મંગળવારે કે શનિવારની સાંજે આ કાળા દોરો હનુમાનજીના મંદિર લઈ જાઓ. આ દોરામાં નવ નાની-નાની ગાંઠ લગાવી લો અને તેના પર હનુમાનજીના પગનુ  સિંદૂર લગાવી લો.
 
હવે તે દોરાને ઘરના મુખ્ય બારણા પર બાંધી દો કે તિજોરી પર બાંધી દો. માત્ર એક નાના ઉપાયથી તમે જલ્દી જ માલામાલ બની શકો છો. આવું કરવાથી તમારા ઘરમાં ધન-ધાન્યની અપાર વૃદ્ધિ થશે. શનિવારે જ્યારે કોઈ ખરાબ નજરથી બચવા માટે કાળો દોરો ધારણ કરો તો ત્યાં ૐ શનયે નમ: નો જાપ કરતા નવ ગાંઠ બાંધી દો.
 
વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો કાળો રંગ ઉષ્માનો અવશોષક હોય છે. તેથી કાળો દોરો ખરાબ નજર અને હવાને અવશોષિત કરી નાખે છે. જેની અસર આપણા શરીર પર પડતી નથી.  આ એક પ્રકારનું  સુરક્ષા કવચ બનાવે છે. શનિદોષથી બચવા માટ પણ માણસે  કાળો દોરો બાંધવો જોઈએ. તેનાથી શનિનો પ્રકોપ માણસ પર પડતો નથી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચકલી અને મૂર્ખ વાંદરો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

વધુ જુઓ..

નવીનતમ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

આગળનો લેખ
Show comments