Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૂજા પછી આરતી કેમ કરવામાં આવે છે ? આરતી કરવાના લાભ શુ છે

Webdunia
સોમવાર, 19 માર્ચ 2018 (11:16 IST)
હિન્દૂ ધર્મનો એક સામાન્ય નિયમ છે કે જ્યારે પણ કોઈ દેવતાની પૂજા થાય છે ભલે તે ભગવાન વિષ્ણુની હોય કે લક્ષ્મીની અથવા શિવ પાર્વતીની દરેક પૂજા પછી કે પછી એમ કહો કે પૂજા સમાપન આરતી સાથે થાય છે. 
 
આરતીમાં દેવી-દેવતાઓનું નામનું ગુણગાન અને તેમનુ ધ્યાન કરવામાં આવે છે. તેનાથી સંબંધિત દેવતા પ્રસન્ન થાય છે. 
 
પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણ સિવાય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ  એ બતાવે છે કે આરતી કરવી ખૂબ જ  ફાયદાકારક હોય છે. અને સૌથી મહત્વની વાત છે આરતીમાં પ્રયોગ થનારી સામગ્રી અને આરતી કરવાની રીત. 

 
વધુ આગળ 
 
 

આરતી કરતી વખતે મનમાં એવી ભાવના હોવી જોઈએ, જાણે એ પંચ પ્રાણોની મદદથી ઈશ્વરની આરતી ઉતારી રહ્યા હોય. ઘી ની જ્યોતિ યાચકની આત્માની જ્યોતિનું પ્રતીક માનવામાં આવે છે. એક પાત્રમાં શુદ્ધ ઘી લઈને તેમાં વિષમ સંખ્યા (જેવા ત્રણ-પાંચ કે સાત) માં દિવાની વાટને પ્રગટાવીને આરતી કરવામાં આવે છે. કપૂર દ્વારા પણ આરતી કરી શકીએ છીએ. 
 
સામાન્ય રીતે પાંચ વાટથી આરતી કરવામાં આવે છે. આરતીની થાળી કે દીવો (કે સહસ્ત્ર દીપ)ને ઈષ્ટ દેવની મૂર્તિની સામે ઉપરથી નીચે ગોળ ફેરવવામાં આવે છે.  ફેરવવાની પ્રક્રિયામાં જે વૃત્ત બને છે તે ઓમના સ્વરૂપની જેવુ હોવુ જોઈએ. 
 
આરતીના દીપકને હાજર ભક્ત સમુહમાં ફેરવવામાં આવે છે. લોકો પોતાના બંને હાથને નીચે ઉંઘા કરી જોડી લે છે. આરતીને ફેરવીને પોતાના માથે પર લગાવે છે. જેનો ઉદ્દેશ્ય ઈશ્વર પ્રત્યે પોતાનુ સમર્પણ અને પ્રેમ બતાવવાનું હોય છે.  

 
વધુ આગળ 
આરતીનો થાળ પીત્તળ, તાંબા, ચાંદી કે સોનાનો હોઈ શકે છે. દીવો ધાતુ, ભીની માટી કે ગૂંથેલા લોટનો હોય છે.  આ દીવો ગોળ કે પંચમુખી, સપ્તમુખી અથવા વધુ પણ હોઈ શકે છે. તેને તેલ કે શુદ્ધ ઘી દ્વારા રૂની વાટથી પ્રગટાવવામાં આવ્યો હોય છે. 
 
આરતી દીવામાં ઘી નો ઉપયોગ પણ કરી શકાય છે. આરતીમાં પાણી ભરેલુ કળશ, નારિયળ, મુદ્રા, તાંબાના સિક્કા ઉપરાંત નદીઓના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
તાંબામાં સાત્વિક લહેરો ઉત્પન્ન કરવાની ક્ષમતા અન્ય ધાતુઓ કરતા વધુ હોય છે. તુલસીમાં વાતાવરણને શુદ્ધ કરવાની ક્ષમતા વધુ હોય છે. તુલસી ચરણામૃતમાં પ્રસાદના રૂપમાં પણ મુકવામાં આવે છે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments