Publish Date: Mon, 06 May 2024 (12:03 IST)
Updated Date: Mon, 06 May 2024 (12:05 IST)
પ્રધાનમંત્રી મોદીએ ઓડિશામાં એક રેલીને સંબોધિત કરતા કહ્યુ કે મોદી ઓડિશાના સામુદ્રિક સામર્થ્ય ને વધારવા માટે પણ કામ કરી રહ્યુ છે. અમારુ ફોકસ ઓડિશાની કોસ્ટલ ઈકોનમી પર છે. દરેક વિસ્તારમાં અમે ઘણા નિવેશ કરી રહ્યા છે. અમે પહેલીવાર માછલી ઉછેરના જુદા મંત્રાલય બનાવ્યો નાવને આધુનિક બનાવવા માટે સબ્સિડી આપી અમે માછામારાઓને પહેલીવાર ખેંડૂત ક્રેડિટ કાર્ડ આપ્યુ.
લોકસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેઓ સોમવારે ઓડિશાના બેરહામપુર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ચૂંટણી જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે આ વખતે ઓડિશામાં એક સાથે બે યજ્ઞો યોજાઈ રહ્યા છે. એક યજ્ઞ દેશમાં, ભારતમાં મજબૂત સરકાર બનાવવાનો છે અને બીજો યજ્ઞ ઓડિશામાં ભાજપની આગેવાની હેઠળની મજબૂત રાજ્ય સરકાર બનાવવાનો છે. ભાજપ જે કહે છે તે કરે છે, આથી અહીં સરકાર બન્યા બાદ અમે ઠરાવ પત્રમાં કરેલી જાહેરાતોને પૂરી તાકાતથી લાગુ કરીશું. આ મોદીની ગેરંટી છે.
બીજેપી 25 લાખ બેહનોને બનાવશે લખપતિ દીદી- પીએમ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યુ કે બીજેપી સરકાર મહિલા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે ઓડિશા બીજેપીની સુભ્રદા યોજના અહીં મહિલાઓને આર્થિક રૂપથી સશક્ત કરશે. ઓડિશાએ બીજેપીએ અહીં પોતે મદદ સમૂહની 25 લાખ બહેનો અને દીકરીઓને લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ઓડિશાની ધરતીમાં જન્મેલી ઓડિશાની દીકરીને ભાજપે ગર્વથી દેશનું સૌથી મોટું પદ આપ્યું છે. આ મારું સદ્ભાગ્ય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી સતત મને ઓડિશાના વિકાસ માટે ખૂબ જ નાની-નાની વાતો કહે છે.