Publish Date: Tue, 21 Aug 2018 (13:41 IST)
Updated Date: Tue, 21 Aug 2018 (14:15 IST)
ગુજરાતના વડોદરા સ્થિત સ્વામિનારાયણ મંદિરના હિંડોળા દર્શનની ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. એક મહિના સુધી ચાલનારા હિંડોળા દર્શનના કાર્યક્રમમાં સોમવારે સ્વામિનારાયણ ભગવાનનો હિંડોળો કરન્સી નોટોથી સજાવવામાં આવ્યો હતો. આ હિંડોળામાં 18 લાખ રૂપિયાની કરન્સી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે સાંજે ગોપીઓ ભગવાનની સાથે પારણામાં ઝૂલે છે એટલા માટે પ્રતિકાત્મકરૂપથી ભગવાન માટે હિંડોળો તૈયાર કરવામાં આવે છે.
આ સ્વામિનારાયણ મંદિરનો વિશેષ કાર્યક્રમ હોય છે.મંદિરમાં પુષ્ટિમાર્ગીય પરંપરા અનુસાર એક મહિના સુધી હિંડોળો કાર્યક્રમ મનાવવામાં આવે છે. તે દરમિયાન કલાકાર વિભિન્ન પ્રકારના હિંડોળા તૈયાર કરે છે. આ વખતે આ ઉત્સવ 29 મેથી શરૂ થયો છે જે 28 ઓગસ્ટ સુધી ચાલશે. સોમવારે હિંડોળો નોટોથી સજાવવામાં આવ્યો હતો. આ હિંડોળામાં બદ્રિકાશ્રમપતિ શ્રી નરનારાયણ દેવ, કૈલાશ્વાસી મહાદેવ, બેકુંઠ નિવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ગૌ લોકવાસી રાધાકૃષ્ણદેવ, શ્રી સ્વામિનારાયણ પ્રભુ વગેરેના દર્શન થાય છે. આ પહેલી વખત નથી કે ભગવાનના હિંડોળાને ભારતીય કરન્સીથી સજાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સાંજે ગોપીઓ ભગવાન સાથે હિડોળે હિંચકા હિંચે છે. તેથી પ્રતીકાત્મક રૂપમાં ભગવાન માટે હિંડોળા તૈયાર કરવામાં આવે છે. આ સ્વામીનારયણ મંદિરનો વિશેષ કાર્યક્રમ હોય છે. આ વખતે આ ઉત્સવ 29 મેથી શરૂ થયો છે જે 28 ઓગસ્ટ સુધી ચાલશે.
આ સ્વામિનારાયણ મંદિરનો વિશેષ કાર્યક્રમ હોય છે.મંદિરમાં પુષ્ટિમાર્ગીય પરંપરા અનુસાર એક મહિના સુધી હિંડોળો કાર્યક્રમ મનાવવામાં આવે છે. તે દરમિયાન કલાકાર વિભિન્ન પ્રકારના હિંડોળા તૈયાર કરે છે. આ વખતે આ ઉત્સવ 29 મેથી શરૂ થયો છે જે 28 ઓગસ્ટ સુધી ચાલશે. સોમવારે હિંડોળો નોટોથી સજાવવામાં આવ્યો હતો. આ હિંડોળામાં બદ્રિકાશ્રમપતિ શ્રી નરનારાયણ દેવ, કૈલાશ્વાસી મહાદેવ, બેકુંઠ નિવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, ગૌ લોકવાસી રાધાકૃષ્ણદેવ, શ્રી સ્વામિનારાયણ પ્રભુ વગેરેના દર્શન થાય છે. આ પહેલી વખત નથી કે ભગવાનના હિંડોળાને ભારતીય કરન્સીથી સજાવવામાં આવ્યો હતો.