Publish Date: Wed, 10 Nov 2021 (12:55 IST)
Updated Date: Wed, 10 Nov 2021 (13:08 IST)
બાડમેર-જોધપુર હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત અકસ્માતમાં 12 લોકોના સળગી જવાને કારણે મોત ટેન્કર અને બસ વચ્ચે સર્જાયચો ગમખ્વાર અકસ્માત રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે પર એક ભયંકર અકસ્માત સર્જાયો છે. જે અકસ્માતમાં બસ ટેંકર અને બસ એકબીજા સાથે ધડાકાભેર અથડાયા જેના કારણે ઘટના સ્થળેજ 12 લોકોના આગની ઝપેટમાં આવી ગયા જેથી તેમના મોત થયા છે.
બસમાં સવાર એક યાત્રીના કહેવા પ્રમાણે સવારે 9.55ના સમયે બસ બાલોતરાથી રવાના તઈ હતી. તે સમયે રોન્ગ સાઈડમાં આવી રહેલા ટેન્કરે બસને ટક્કર મારીદીધી જેના કારણે બસમાં અચાનક આગ લાગી હતી. જેમા ગણતરીની મિનિટોમનાં આખી બસ આગની ઝપેટમાં આવી ગઈ હતી. બસમાં કુલ 25 મુસાફરો સવાર હતા. જોકે તેજ સમયે 10 લોકોને સલામત રીતે બસની બહાર કાઢવામાં આવ્યા હતા.