Publish Date: Tue, 28 Sep 2021 (15:42 IST)
Updated Date: Tue, 28 Sep 2021 (15:47 IST)
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપી દીધું છે. તેમણે આ રાજીનામું સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. પંજાબ કોંગ્રેસમાં ફરી એક વાર હોબાળો શરૂ થયો છે. જ્યાં પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, આ રાજીનામા બાદ સૌ કોઈ ચોંકી ગયા છે
નવજોત સિંહ સિદ્ધુએ પંજાબના કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું, કહ્યું- પાર્ટી માટે કામ કરતો રહીશ
નવજોત સિંહ સિદ્ધુએ પંજાબમાં કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. નવજોત સિંહે સોનિયા ગાંધીને રાજીનામું મોકલી દીધું છે. સિદ્ધુએ કહ્યું છે કે, મેં અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે પરંતુ કોંગ્રેસ માટે કામ કરતો રહીશ.સિદ્ધુએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમનું રાજીનામું મોકલ્યું છે.