Publish Date: Friday, 30 January 2026 (17:42 IST)
Updated Date: Friday, 30 January 2026 (01:44 IST)
વાસ્તુ વિજ્ઞાનમાં એવા દોષ છે જેના ઘરમાં હોવાથી હમેશા આર્થિક પરેશાની થાય છે. જુઓ તમારા ઘરમાં તો આ વસ્તુ દોષ નથી .
વાસ્તુવિજ્ઞાન મુજબ ઉતર પૂર્વ દિશાને ઈશાન કોણ કહેવાય છે. આ દિશા ધન આગમન માટેની દિશા ગણાય છે જેના ઘરોમાં કોઈ કારણથી ઈશાન કોણ બંદ છે કે ઈશાન કોણમાં ભારે સામાન કે ગંદગી છે તે ઘરોમાં હમેશા આર્થિક પરેશાની રહે છે. એના ઘરામં ધન આગમન ધીમી ગતિથી થાય છે.
ઉત્તર પૂર્વની રીતે પશ્ચિમ દિશાનો બંદ થવું પણ ધન આગમન માટે સારું ગણાતું નથી. ઉત્તર પશ્ચિમ દિશાને વાસ્તુશાસ્ત્રમાં વાયવ્ય કોણ કહેવાય છે. આ દિશામાં દીવાર હોવાથી પરિવારમાં આપસી મતભેદ વધે છે અને ધનની હાનિ રહે છે.
વાસ્તુશાસ્ત્રમાં દક્ષિણ દિશાને યમની દિશા કહેવાય છે. આથી આ દિશાનની તરફ બારણું નહી હોવું જોઈએ આ દિશા તરફ ખુલો ભાગ હોવાથી ધન અને આયુની હાનિ થાય છે. આથી આ દિશા તરફ તિજોરી અને અલમારી પણ નહી રાખવી જોઈએ. આથી ધનના અભાવ રહે છે.
જે ઘરોમાં ઉતર પૂર્વ દિશામાં રસોઈઘર હોય છે તે ઘરના બજટ બગડેલું રહે છે. પશ્ચિમ કે દક્ષિણ પૂર્વમાં રસોડું હોય તો ધન ધાન્યની વૃદ્ધિ થાય છે.
ઘરના મુખ્ય શયન કક્ષ એટલે જેના ઘરમાં પરિવારના મુખિયા સૂએ છે તે આગ્નેય કોણમાં એટલે દક્ષિણ પૂર્વમાં હોય ત્યારે બિનજરૂરી પરેશાની આવે છે. ઘરના મુખિયા તનાવ અને પરેશાનીથી ઘેરાયલું રહે છે. આર્થિક ચિંતાઓ વધે છે અને પરિવારિક સુખમાં કમી આવે છે.
વાસ્તુવિજ્ઞાન મુજબ જે ઘરોમાં દક્ષિણ-પશ્ચિમ દિશા વધેલી હોય તે ઘરોમાં આર્થિક પરેશાની આવે છે. એવા ઘરોમાં રહેતા લોકોને કાનૂની બાબતોમાં ફંસવું પડે છે, સ્વાસ્થયની પરેશાની રહે છે જેથી ધન નુકશાન થાય છે.