Publish Date: Tue, 13 Feb 2024 (12:38 IST)
Updated Date: Tue, 13 Feb 2024 (12:41 IST)
- આ યોજનામાં મળે છે રોજના 500 રૂપિયા
-હેઠળ 18 પરંપરાગત વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો
- યોજના માટે કોણ પાત્ર છે?
PM Vishwakarma Yojana: પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બર 2023ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 18 પરંપરાગત વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાણાકીય લાભ આપવાની પણ જોગવાઈ છે. જેમાં રોજનું 500 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે.
આ અંતર્ગત માત્ર આર્થિક મદદ જ નહીં પરંતુ ટ્રેનિંગ, આધુનિક ટેક્નોલોજી અને ગ્રીન ટેક્નોલોજી વિશે જણાવવું, બ્રાન્ડ્સનું પ્રમોશન, સ્થાનિક અને વૈશ્વિક બજારો સાથે કનેક્ટિવિટી, ડિજિટલ પેમેન્ટ અને સામાજિક સુરક્ષાનો પણ સમાવેશ થાય છે.
યોજના માટે કોણ પાત્ર છે?
આ યોજનામાં કુલ 18 વ્યવસાયો સાથે જોડાયેલા લોકોને સામેલ કરવામાં આવ્યા છે. તેમાં સુવર્ણ, કુંભાર, સુથાર, શિલ્પકાર, મોચી, ચણતર, વણકર, રમકડા બનાવનાર, ધોબી, દરજી, હાર બનાવનાર, વાળંદ, માછીમારીની જાળ બનાવનાર, તાળા બનાવનાર અને લુહાર જેવા વ્યવસાયોનો સમાવેશ થાય છે. યોજના હેઠળ આવા કામ માટે તાલીમ પણ આપવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન દરરોજ 500 રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવશે. ઉપર જણાવેલ તમામ વ્યવસાયો સિવાય, અન્ય લોકો આ યોજના માટે અરજી કરી શકતા નથી.
તમે આ રીતે અરજી કરી શકો છો
તમે પીએમ વિશ્વકર્મા યોજના માટે ખૂબ જ સરળતાથી અરજી કરી શકો છો. આ માટે તમારે pmvishwakarma.gov.in વેબસાઈટ પર જવું પડશે. મોબાઈલ અને આધાર વેરિફિકેશન પછી તમારે એક ફોર્મ ભરવું પડશે અને તમારો બિઝનેસ પસંદ કરવો પડશે. તમારી કુશળતા મુજબ અરજી કર્યા પછી, તમે તમારું વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.