Publish Date: Mon, 22 Aug 2022 (18:40 IST)
Updated Date: Mon, 22 Aug 2022 (18:33 IST)
Taarak Mehta Ka Ooltah Chashmah - તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ઘણા દિવસો પહેલા શૈલેષ લોઢાએ શોને અલવિદા કહી દીધુ છે. શો છોડવાના અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા નથી. આવી સ્થિતિમાં, ચાહકો મૂંઝવણમાં હતા કે શું થઈ રહ્યું છે.
પ્રોડક્શન હાઉસને શૈલેષ લોઢા માટે રિપ્લેસમેન્ટ માટે નવા એક્ટરની શોધ કરવી પડી, જે તારક મહેતાની ભૂમિકા નિભાવી શકે. આ ભૂમિકા માટે એક નવું નામ સામે આવ્યું છે. સૂત્રોના અનુસાર, અભિનેતા જયનીરજ રાજપુરોહિતના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.
જયનીરજરાજપુરોહિત આ પહેલા બાલિકા વધૂ, લાગી તુઝસે લગન, અને મિલે જબ હમ તુમ જેવા શોનો ભાગ રહી ચૂક્યા છે. તેમણે ઓહ માય ગોડ, આઉટસોર્સ અને સલામ વેંકી જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે