Webdunia - Bharat's app for daily news and videos

Install App

દૂધના આ અચૂક ઉપાય કરવાથી ઘરમાં રહે છે મા લક્ષ્મીનો અખંડ વાસ, જાણો અચૂક રીત

Webdunia
શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (16:15 IST)
દેવી લક્ષ્મીના આશીર્વાદ કોણ મેળવવા માંગતું નથી. લોકોનો પ્રયાસ રહે છે કે દેવી લક્ષ્મી હંમેશા તેમના ઘરમાં રહે. લાલ કિતાબમાં દેવી લક્ષ્મીનો અખંડ વાસ ઘરમાં રહે તે માટે કેટલાક નિશ્ચિત ઉપાયો આપવામાં આવ્યા છે. દૂધના આ ઉપાયો ખૂબ જ આસાન છે અને પૈસા મેળવવા ઉપરાંત અન્ય ઘણી સમસ્યાઓથી પણ છુટકારો અપાવે છે. ચાલો જાણીએ લાલ કિતાબમાં દર્શાવેલ દૂધના અચૂક ટોટકા.
 
અમીર બનવાના ઉપાયઃ જો તમે કાયમ અમીર રહેવા માંગતા હોવ તો લોખંડના વાસણમાં પાણી, ખાંડ, દૂધ અને ઘી મિક્સ કરી લો. ત્યારબાદ તેને પીપળના ઝાડના મૂળમાં અર્પણ કરો. મા લક્ષ્મીની કૃપા બની રહેશે.
 
વેપારમાં પ્રગતિ અને ધનવાન બનવાના ઉપાયઃ દર સોમવારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ મિશ્રિત જળ ચઢાવો. તેની સાથે રુદ્રાક્ષની માળાથી 108 વાર ઓમ સોમેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. તેની સાથે જ પાણીમાં દૂધ મિક્સ કરીને દરેક પૂર્ણિમાએ ચંદ્રને અર્ધ્ય ચઢાવો. તેનાથી તમારી કમાણી જલ્દી જ વધી જશે.
 
અસાધ્ય રોગથી છુટકારો મેળવવાનો ઉપાયઃ સોમવારે રાત્રે 9 વાગ્યા પછી શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર કાચું દૂધ મિશ્રિત જળ અર્પિત કરો અને ઓછામાં ઓછા 108 વાર ऊं जूं सः મંત્રનો જાપ કરો. ત્યારબાદ  થોડા દિવસો સુધી સતત આ કરવાથી બીમાર વ્યક્તિને આરામ મળે છે. આ ઉપાય બીમાર વ્યક્તિના પરિજન પણ કરી શકે છે.
 
કામમાં આવતી અડચણો દૂર કરવાના ઉપાયઃ રવિવારની રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ દૂધ ભરીને માથા પાસે રાખો. તેને એવી રીતે રાખો કે ગ્લાસ કે દૂધ પડી ન જાય. બીજા દિવસે આ દૂધને બાવળના ઝાડના મૂળમાં નાખો. દર રવિવારે રાત્રે આવું કરો. થોડા દિવસોમાં કામ થઈ જશે.
 
ભાગ્ય વધારવાનો ઉપાયઃ જો તમને તમારી મહેનત પ્રમાણે ફળ ન મળી રહ્યું હોય તો દૂધમાં સાકર અને કેસર અથવા હળદર મિક્સ કરીને સાંજે શિવલિંગ પર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. થોડા દિવસોમાં તમને શુભ પરિણામ મળવા લાગશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

Chandra Grahan 2024: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આ 6 રાશિઓ માટે ખૂબ રહેશે શુભ, આર્થિક લાભનાં જોરદાર યોગ

13 સપ્ટેમ્બરનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર રહેશે ગણપતિનો આશીર્વાદ

આગળનો લેખ
Show comments