Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફૂટબોલ જગતમાં શોકની લહેર, ઉરુગ્વે ટીમના ફૂટબોલરનું મેદાનમાં જ હાર્ટ એટેકથી મોત

Juan Izquierdo
, ગુરુવાર, 29 ઑગસ્ટ 2024 (06:47 IST)
image source twitter(X)
ફૂટબોલ જગતમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉરુગ્વેના ફૂટબોલર જુઆન ઇઝક્વીર્ડો(Juan  zquierdo)નું 27 વર્ષની વયે અવસાન થયું છે. આ સમાચારથી ફૂટબોલ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. નેશનલ ક્લબનો ભાગ રહેલા જુઆન 5 દિવસ પહેલા એટલે કે 22 ઓગસ્ટે બ્રાઝિલમાં સાઓ પાઉલો સામેની મેચ દરમિયાન હાર્ટ એટેકને કારણે અચાનક મેદાન પર પડી ગયા હતા. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ ઘટનાના 5 દિવસ પછી જુઆન ઇક્વિઆર્ડોનું અવસાન થયું. ડોકટરોએ તેમના મૃત્યુનું કારણ એરિથમિયાને ગણાવ્યું છે જેના કારણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. એરિથમિયા એવી સ્થિતિ છે જેમાં દિલના ધબકારા અનિયમિત થઈ જાય છે.
 
 27 વર્ષીય જુઆન ઇક્વિઆર્ડોને  ત્યારે હાર્ટ એટેક આવ્યો જ્યારે તેઓ લેટિન અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત ક્લબ ટુર્નામેન્ટ કોપા લિબર્ટાડોર્સની ક્વાર્ટર ફાઇનલ મેચમાં સાઓ પાઉલો સામે નેશનલ ક્લબ માટે રમી રહ્યા હતા.  આ મેચની 84મી મિનિટે જુઆન અચાનક મેદાન પર પડી ગયો હતો. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને વેન્ટિલેટર પર મૂકી દીધો. હોસ્પિટલમાં 5 દિવસ પસાર કર્યા પછી પણ ફૂટબોલરની તબિયતમાં કોઈ સુધારો થયો નહી અને 5 દિવસ બાદ તેમનું મોત થયુ. 

 
નેશનલ ક્લબે તેમના મૃત્યુના સમાચાર ફેંસ સાથે શેર કર્યા. ક્લબે ટ્વિટર પર એથ્લેટનો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું: "આ  ખૂબ જ દુઃખની વાત  છે કે ક્લબ નેશનલ ડી ફૂટબોલ અમને જાણ કરે છે કે અમારા પ્રિય ખેલાડી જુઆન ઇક્વિઆર્ડો હવે આપણી વચ્ચે નથી." ઇક્વિઆર્ડોની પત્ની સેલેનાએ એક અઠવાડિયા પહેલા જ તેમના બીજા બાળકને જન્મ આપ્યો હતો.

 
ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ પણ જુઆન ઇક્વિઆર્ડોના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે તે ઉરુગ્વેના ફૂટબોલર જુઆન ઇક્વિઆર્ડોના નિધન વિશે જાણીને ખૂબ જ દુઃખી છે. FIFA અને સમગ્ર ફૂટબોલ સમુદાય તરફથી તેઓ તેમના પરિવાર અને મિત્રો, ઉરુગ્વેયન ફૂટબોલ એસોસિએશન, ક્લબ નેસિઓનલ ડી ફૂટબોલ અને CONMEBOL પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કરાર આધારિત એનેસ્થેટીસ્ટ તબીબોને પ્રોત્સાહક રકમના ૫૦ ટકા પ્રતિ સર્જરી આપવામાં આવશે