Publish Date: Mon, 18 Oct 2021 (12:28 IST)
Updated Date: Mon, 18 Oct 2021 (12:30 IST)
1. લક્ષ્મી માતાજીને પીળી અને લાલ રંગની સામગ્રી ચઢાવવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થશે.
2. મોરબા પીંછાને વાંસળીની અંદર બાંધી પૂજા કરવાથી પણ ધનલાભ થશે.
3. ચોખ્ખા ઘીનો દીવો કરવો અને આ દિવામાં ચાર દિવેટ રાખવી જેના કારણે પણ ધનલાભ થવો સંભવ છે.
4. ઘરના પાણીયારામાં માતાજીનો વાસ હોવાના કારણે ત્યાં સાથિયો બનાવવો.
5. દક્ષિણાવર્તી શંખમાં કેસર ભેળવેલ દૂધ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. તેનાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સાધકને માલામાલ કરે છે.
6. સાંજે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘી નો દીવો પ્રગટાવો. તેમા થોડુ કેસર પણ નાખો. તેનાથી રોકાયેલુ ધન આવવાના યોગ બને છે.