Article Sankranti %e0%aa%89%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%b0%e0%aa%be%e0%aa%af%e0%aa%a3%e0%aa%a8%e0%ab%81%e0%aa%82 %e0%aa%ae%e0%aa%b9%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b5 108011200003_1.htm

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉત્તરાયણનું મહત્વ

ઉત્તરાયણનું મહત્વ
N.D
ઉત્તરાયણનો ઉત્સવ કુદરતનો ઉત્સવ છે. પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ ઉત્સવને મકરસક્રાંતિ કહે છે. આ દિવસે સૂર્ય પૃથ્વીની પરિક્રમા કરવાની દિશા બદલે છે, થોડો ઉત્તર તરફ ઢળતો જાય છે. તેથી આ કાળને ઉત્તરાયણ પણ કહે છે. સૂર્યના સંક્રમણની સાથે-સાથે જીવનનું પણ સંક્રમણ સંકળાયેલુ છે. તેથી આ ઉત્સવનું સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ અનોખુ મહત્વ છે.

'તમસો મા જ્યોતિર્ગમય' અંધકારમાંથી પ્રકાશની તરફ પ્રયાણ કરવાની વૈદિક ઋષિઓની પ્રાર્થના આ દિવસના સંકલ્પિત પ્રયત્નોની પરંપરાથી સાકાર થવી શક્ય છે. કર્મયોગી સૂર્ય પોતાના ક્ષણિક આનંદને ખંખેરીને અંધકાર પર આક્રમણ કરવાનો આ શુભ દિવસે દ્રઢ સંકલ્પ કરે છે. આ દિવસથી અંધકાર ધીરે ધીરે ઓછો થતો જાય છે.

સારા કામ કરવાના શુભ દિવસોની શરૂઆત થાય છે. ધાર્મિક હિન્દૂ પ્રાર્થના કરે છે કે મકરસંક્રાંતિના પછી જ પોતાનું મૃત્યુ થાય. યમરાજ(મૃત્યુ)ને ઉત્તરાયણની શરૂઆત સુધી રોકવાવાળા ઈચ્છામરણી ભીષ્મ પિતામહ આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

અગ્નિ, જ્યોતિ અને પ્રકાશથી યુક્ત ગતિ અર્થાત શુક્લ ગતિ અને કુહરા અને અંધકારથી યુક્ત ગતિ અર્થાત કૃષ્ણ ગતિ, આ દ્રષ્ટિએ જોઈએ તો ઉત્તરાયણમાં મૃત્યુની આકાંક્ષા એટલેકે તેજસ્વી અને પ્રકાશમય મૃત્યુની આકાંક્ષા છે. ધુમ્મસ જેવુ કાળુ અને અંધારા જેવુ ભયભીત જીવન માનવને નિકૃષ્ટ મૃત્યુની તરફ ખેંચીને લઈ જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati