Publish Date: Thu, 16 Nov 2017 (12:57 IST)
Updated Date: Sat, 15 Feb 2020 (16:18 IST)
સામાન્ય રીતે સૌને રામાયણ વિશે એક વાત જરૂર યાદ રહે છે કે સીતાનુ અપહરણ કરી લંકા કોણ લઈ ગયુ હતુ. પણ ક્યારેય તમે આ વાત પર વિચાર કર્યો છે કે હનુમાનજીની
પૂંછડીમાં આગ કેમ લગાવવામાં આવી હતી ?
શ્રીરામ જીને સીતાજી વિશે જાણ થઈ તો હનુમાનજીને દૂત બનીને લંકાની રાજસભામાં મોકલ્યા હતા.
હનુમાનજી લંકા પહોંચ્યા તો રાવણે તેમની સાથે દુર્વ્યવ્હાર કર્યો. તેમણે જ્યારે બેસવા માટે સિંહાસન ન આપવામાં આવ્યુ તો તેમણે પોતાની પૂંછડી એટલી મોટી કરીને સર્પાકારમાં ગોઠવી કે હનુમાનજીની પૂંછડીનું સિંહાસન રાવણના સિંહાસન કરતા પણ મોટુ થઈ ગયુ.
આ જોઈને ઘમંડી રાવણે પોતાના સૈનિકોને હનુમાનજીની પૂંછડીમાં આગ લગાડવાનુ કહ્યુ. હનુમાનજીની પૂંછડીમાં આગ લગાવવામાં આવી. ત્યારે હનુમાનજીએ આખી લંકા સળગાવી દીધી.
પછી જ્યારે પ્રભુ રામની શરણમાં પહોંચ્યા ત્યારે તેમને સીતાજી દ્વારા આપવામાં આવેલ અંગૂઠી અને લંકા દહનનું પુર્ણ વિસ્તારપૂર્વક વર્ણન કર્યુ.
webdunia
Publish Date: Thu, 16 Nov 2017 (12:57 IST)
Updated Date: Sat, 15 Feb 2020 (16:18 IST)