Publish Date: Sun, 24 Nov 2019 (14:47 IST)
Updated Date: Wed, 20 Nov 2019 (16:55 IST)
લોકો તેમના ગ્રહની શાંતિ અને દોષને દૂર કરવા માટે જુદા-જુદા ધાતુંની વીટી પહેરે છે. બધા ગ્રહ માટે જુદી-જુદી ધાતુ હોય છે. બધા ગ્રહના રાજા સૂર્ય હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં તાંબાને સૂર્યમી ધાતુ ગણાયું છે. સૂર્યથી સંબંધિત બધા રોગોને દૂર કરવા માટે લોકો તાંબાની વીટી પહેરે છે. આવો જાણીએ તાંબાની વીટી પહેરવાથીથી થતાં લાભ વિશે..
ALSO READ: જાણો કઈ તારીખને જન્મ લેનાર પ્રેમી તમારા માટે હોય છે ભાગ્યશાળી
- સૌથી પહેલા તાંબાની વીટીને સૂર્યની આંગળીમાં પહેરવી જોઈએ, એટલે કે રિંગ ફિંગરમાં પહેરવી. આ તમારી કુંડળીમાં જે સૂર્યના દોષ છે તેને ઓછું કરવામાં મદદ કરશે. .
- તાંબાની વીટી પહેરવાથી તમને પેટની વિકૃતિઓમાં પણ રાહત મળી શકે છે.
- તાંબાની વીટી પહેરવાથી, તે આપણા શરીરમાં સતત સંપર્કમાં રાખે છે. જેનાથી આપણા શરીરમાં તાંબાના ઔષધીય ગુણધર્મો મળે છે. આ રક્તને સાફ કરવા પણ મદદ કરે છે
- તાંબાની વીટી પહેરવાથી, આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે ત્વચામાં ચમક વધે છે.
- સૂર્યને યશ અને સન્માનના પ્રતીક તરીકે ગણવામાં આવે છે, તેથી તાંબાની વીટી પહેરવાથી વ્યક્તિને સમાજમાં પ્રતિષ્ઠા અને આદર મળે છે.
- તાંબાની વીટી પહેરવાથી, હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે.
- તાંબાની વીટી પહેરવાથી, માનસિક અને શારીરિક તાણ પણ ઘટે છે. સાથે ગુસ્સો પણ નિયંત્રિત રહે છે.
- જે વ્યક્તિના શરીરમાં કોપરની કમી હોય છે એ તાંબાની વીટી કે કડો પહેરવું.