Webdunia - Bharat's app for daily news and videos

Install App

બે બાળકોના પિતા સાથે કર્યા લગ્ન, તો હવે મહિલાને પોતાનુ બાળક થતા ન મળી મેટરનિટી લીવ

Webdunia
શુક્રવાર, 19 માર્ચ 2021 (15:28 IST)
પંજાબ-હરિયાણા હાઈકોર્ટે એક નર્સિંગ ઓફિસરનો માતૃત્વ અવકાશ ન મળવાના વિરુદ્ધમાં અરજી એવુ કહીને ફગાવી દીધી કે કોઈ પણ મહિલાને ફક્ત બે બાળકો માટે જ પ્રસૂતિ રજા એટલે કે મૈટરનીટિ લીવ મળી શકે છે. કોર્ટે કહ્યું છે કે પહેલા બે બાળકો તે મહિલાના છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી.
 
ઉલ્લેખનીય છે કે મહિલા પોસ્ટ ગ્રેજ્યુએટ ઈસ્ટિટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશ ન એંડ રિસર્ચ (PGIMER) ચંડીગઢમાં જોબ કરે છે.  આ મહિલાએ એક એવા વ્યક્તિ સાથે લગન કર્યા જેના પહેલાથી જ બે બાળકો છે  હવે મહિલાએ પોતાના બાળકને જન્મ આપ્યો પણ તેને મેટરનિટી લીવ ન મળી. જેને લઈને મહિલાએ  PGIMERના વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર હાઈકોર્ટમાં જસ્ટિસ જસવંત સિંહ અને જસ્ટિસ સંત પ્રકાશની પીઠે આ આદેશ  સંભળાવ્યો. 
 
PGIMER એ પોતાના પક્ષમાં કોર્ટમાં જણાવ્યું છે કે મહિલાએ હોસ્પિટલ રેકોર્ડમાં  પોતાના પતિના પહેલા લગ્નમાંથી થયેલા બે બાળકોના નામ નોંધાવ્યા છે અને તેણે ઘણી વખત ચાઈલ્ડ કેરની રજા પણ લીધી છે.
 
સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (રજા) નિયમ, 1972 નો હવાલો આપતા આ હોસ્પિટલે કોર્ટમાં જણાવ્યું હતું કે મહિલાને પહેલેથી જ બે બાળકો હોવાથી તે પ્રસૂતિ રજા લઈ શકતી નથી.
 
બીજી બાજુ મહિલાનુ કહેવુ છે કે તેણે તો પ્રથમ બાળકને જન્મ આપ્યો છે તેથી હોસ્પિટલ મારા પતિના બે બાળકોના હવાલે મને મેટરનીટિ લીવથી વંચિત રાખી શકે નહી.  
ખંડપીઠે  નર્સિંગ ઓફિસરની અરજી નામંજૂર કરતા જણાવ્યું હતું કે, "ભલે અરજદાર પતિના પહેલા લગ્નથી જન્મેલા બે બાળકોની બાયોલોજિકલ  માતા નથી, પરંતુ તે આ હકીકતને નકારી શકતી નથી કે હવે તે જ એ બાળકોની માતા છે."
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments