Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યના 17 તાલુકાઓમાં 50 ટકાથી ઓછો વરસાદ, 28 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતાઓ

Webdunia
શનિવાર, 25 સપ્ટેમ્બર 2021 (10:15 IST)
ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 81 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. હજી રાજ્યમાં 19 ટકા વરસાદની ઘટ છે. પરંતુ 17 તાલુકા એવા છે જ્યાં 50 ટકા કરતાં પણ ઓછો વરસાદ થયો છે. જો આ વિસ્તારમાં હવે સિઝનના અંતમાં વરસાદ નહીં થાય તો પાણીની સમસ્યા સર્જાઈ શકે છે અને ખેડૂતોએ કરેલા વાવેતરને પણ મોટું નુકસાન થઈ શકે છે.

રાજ્યમાં સતત વરસાદને કારણે બે સ્ટેટ હાઈવે સહિત 47 રસ્તાઓ હજી પણ બંધ છે. રાજ્યમાં હજી આગામી 28 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 1 જૂનથી અત્યારસુ ધીમાં કુલ 655.7 મિમી વરસાદની સામે 375.4 મિમી જ વરસાદ પડ્યો હોવાથી હજુ પણ અમદાવાદમાં સામાન્ય કરતાં 40 ટકા ઓછો વરસાદ પડ્યો છે. બીજી તરફ, 1 જૂનથી 19 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં 658.1 મિમીની સામે 534.6 મિમી વરસાદ પડતાં રાજ્યમાં અત્યાર સુધીમાં 81 ટકા વરસાદ થયો છે, જ્યારે 19 ટકા વરસાદની ઘટ છે.સપ્ટેમ્બરમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી માર્ગને નુકસાન થયું છે. જેમાં રાજકોટ અને જૂનાગઢના બે સ્ટેટ હાઈવે હજુ બંધ હાલતમાં છે. પંચાયત હસ્તકના 44 માર્ગોમાં વડોદરા જિલ્લાના 11, નવસારીના 08, રાજકોટના 06, સુરતના 05, ભાવનગર, વલસાડ અને જામનગર જિલ્લાના ત્રણ- ત્રણ જ્યારે દાહોદ, છોટા ઉદેપુર સહિતના જિલ્લામાં પણ એક- એક માર્ગ બંધ છે.  સરદાર સરોવર નર્મદા નિગમ લિ. દ્વારા જણાવાયું હતું કે સરદાર સરોવર જળાશયમાં હાલ 186731 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 55.89% છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતું કે રાજ્યનાં 206 જળાશયોમાં 418556 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 75.09% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-79 જળાશય, એલર્ટ ૫ર કુલ- 12 જળાશય તેમજ વોર્નિંગ ૫ર-13 જળાશય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments