Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું શંકરસિંહ ફરી કોંગ્રેસમાં કરશે એન્ટ્રી? હાઇકમાન્ડ સ્વિકારશે તેમની શરતો

Webdunia
રવિવાર, 8 ઑગસ્ટ 2021 (16:03 IST)
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં વાપસી થઈ રહી હોવાના સમાચાર છે, ત્યારે કોંગ્રેસમાં કહી ખુશી કહી ગમ જેવું વાતાવરણ છે. ગુજરાત વિધાનસભાની વર્ષ 2022માં ચૂંટણી આવી રહી છે. ત્યારે હવે કોંગ્રેસને બેઠી કરવા માટે કેન્દ્રીય હાઈકમાન્ડ શું નિર્ણય કરે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ગુજરાત કોંગ્રેસમાં બાપુની ફરીથી એન્ટ્રી કરવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે પરંતુ બાપુ કેટલીક શરતો સાથે પાછા ફરવાના હોવાથી મુદ્દો અટવાઇ ગયો છે. 
 
કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ હાઈ કમાન્ડને બાપુની કોંગ્રેસમાં વાપસી માટે મનાવવા માટેના પ્રયત્નો શરુ કરી દીધા છે, અને આ બાજુ શંકરસિંહ બાપુ પણ કોંગ્રેસમાં પાછા ફરી શકે છે. પણ કોંગ્રેસમાં પરત ફરવાની સાથે બાપુએ સંગઠન તથા વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટોથી માંડીને બીજી કેટલીક શરતો તેમણે કોંગ્રેસ સમક્ષ મુકી છે. પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ બાપુની તમામ શરતોને સ્વિકારવા માટે તૈયાર નથી તો બીજી તરફ બાપુ પોતાની શરતો પર ટસના મસ થવા તૈયાર નથી. 
 
આ દરમિયાનમાં ભરતસિંહ સોલંકી બાપુ અને હાઈ કમાન્ડને રાજી કરવા માટે ભરપુર પ્રયત્નો શરૂ કરી દીધા છે. તો બીજી તરફ કેટલાક સિનિયર નેતાઓ બાપુને કોંગ્રેસમાં એન્ટ્રી આપવા સામે હાઇકમાન્ડ સુધી વિરોધ વ્યકત કરી રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments