Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત પેટાચૂંટણીઃ સૌથી વધુ થરાદમાં 34 અને સૌથી ઓછું અમરાઈવાડીમાં 19 ટકા

Webdunia
સોમવાર, 21 ઑક્ટોબર 2019 (15:13 IST)
ઉત્તર ગુજરાતની ચાર બેઠક ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ સહિત, અમરાઈવાડી અને લુણાવાડા બેઠક પર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સવારે આઠ વાગ્યેથી મતદાન શરૂ થયું છે. જોકે પ્રારંભિક તબક્કે મતદાન ધીમી ગતિએ થઇ રહ્યું છે.બપોરે 2 વાગ્યા સુધી થરાદ 34.33 ટકા, રાધનપુર 33.86 ટકા, ખેરાલુ 19.83 ટકા, બાયડ 31.85 ટકા, અમરાઈવાડી 19.00 ટકા, અને લુણાવાડા 26.63 ટકા મતદાન થયું છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં બધાની નજર ઉત્તર ગુજરાતની રાધનપુર અને બાયડ બેઠક પર છે. રાધનપુર બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા ચૂંટણી લડી રહ્યા છે. બાયડના ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા, કોંગ્રેસના જશુ પટેલે મતદાન કર્યું છે. સાંસદ પરબત પટેલે થરાદમાં મતદાન કર્યું છે. ખેરાલુ બેઠક પર ભાજપના અજમલજી ઠાકોર અને કોંગ્રેસના બાબુજી ઠાકોરે મતદાન કર્યું છે. અમરાઈવાડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલે મતદાન કર્યું છે. થરાદ બેઠક પર ગુલાબસિંહ રાજપૂતે મતદાન કર્યું છે. બાયડના લીંબ-2માં ઇવીએમ મશીન ખોરવાતા મતદાન પ્રક્રિયા રોકવામાં આવી હતી. અલ્પેશ ઠાકોર અને રધુ દેસાઈ વોટિંગ કરી શક્યા નથી કારણ કે બંને અમદાવાદ જિલ્લાના મતદારો છે. ઉત્તર ગુજરાતમાં વિધાનસભાની ખેરાલુ, રાધનપુર, થરાદ અને બાયડ બેઠકની સોમવારે યોજાનારી પેટાચૂંટણીમાં 9.28 લાખ મતદારો ભાજપ, કોંગ્રેસ અને એનસીપી સહિત 28 ઉમેદવારોના ભાવિ નક્કી કરશે. મતદારોમાં 4.44 લાખ મહિલા મતદારો છે. ચૂંટણીપંચ દ્વારા 1171 મતદાન મથકો ઊભાં કરાયાં છે, 8100 કર્મચારીઓને ફરજ પર તૈનાત કરાયાં છે. આ પેટાચૂંટણીમાં સૌની નજર રાધનપુર અને બાયડ બેઠક પર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments