Webdunia - Bharat's app for daily news and videos

Install App

વિજય રૂપાણી આજે રાજકોટ-વડોદરાની મુલાકાતે, કેસની સંખ્યા હજારને પાર

Webdunia
બુધવાર, 29 જુલાઈ 2020 (09:34 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બુધવાર તા. ર૯ જુલાઇએ રાજકોટ અને વડોદરાની કોરોના સંક્રમણ નિયંત્રણની સમીક્ષા માટે એક દિવસીય મુલાકાત લેશે. તેઓ બુધવાર સવારે ૧૦-૩૦ કલાકે રાજકોટ પહોચીને રાજકોટ શહેર તેમજ ગ્રામીણ ક્ષેત્રની કોરોના કોવિડ-19ની સ્થિતી સંદર્ભમાં કલેકટર, મ્યુનિસિપલ કમિશનર, ડી.ડી.ઓ તેમજ શહેર પોલીસ કમિશનર સાથે સમીક્ષા બેઠક યોજશે. મુખ્યમંત્રી - નાયબ મુખ્યમંત્રી ત્યારબાદ સાંસદો, ધારાસભ્યો અને રાજકોટના મેયર તથા મહાપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજવાના છે.
 
વિજય રૂપાણી અને નીતિન પટેલ IMA રાજકોટ બ્રાન્ચના અગ્રણી તબીબો અને રાજય સરકારના મહત્વપૂર્ણ ડૉકટરો સાથે પણ મિટીંગ કરવાના છે. તેઓ ત્યારબાદ રાજકોટમાં મિડીયા બ્રિફીંગ કરશે અને બપોર બાદ વડોદરા જવા રવાના થશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે રાજકોટ-વડોદરાની આ સમીક્ષા મુલાકાતમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ પણ જોડાવાના છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી-નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને આ વરિષ્ઠ અધિકારીઓ સાથે બપોર બાદ ૩-૦૦ વાગ્યે વડોદરા પહોચશે.
 
સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ 747 એક્ટિવ કેસો રાજકોટમાં છે. સૌરાષ્ટ્રમાં સોમવારે પાંચ વાગ્યા સુધી કુલ 2616 એક્ટિવ કેસો છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 3603 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1,43,727 કોરોનાના ટેસ્ટ કરાય છે. તેમજ સૌરાષ્ટ્રમાં હાલ, 97,645 લોકો ક્વોરેન્ટાઇનમાં છે.
 
જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછા એક્ટિવ કેસો પોરબંદરમાં 11, દેવભૂમિ દ્વારકમાં 16, બોટાદમાં 59 અને મોરબીમાં 59 એક્ટિવ કેસો છે. આ સિવાય અમરેલીમાં 161, ગીર સોમનાથમાં 175, જામનગરમાં 184 અને જૂનાગઢમાં 214 એક્ટિવ કેસ છે.
 
તેઓ વડોદરામાં પણ શહેર અને ગ્રામીણ ક્ષેત્રની કોરોના સંક્રમણ નિયંત્રણ સ્થિતિની સમીક્ષા માટે જિલ્લાના શહેરી અને વહિવટીતંત્ર-પંચાયત-પોલીસતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજશે. મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી વડોદરા શહેર જિલ્લાના વિધાયકો, મહાનગરપાલિકાના મેયર અને પદાધિકારીઓ તેમજ IMAના વડોદરા બ્રાન્ચના અગ્રણી તબીબો સાથે તબક્કાવાર બેઠક યોજી સ્થિતીની વિગતો મેળવી માર્ગદર્શન આપવાના છે. વડોદરામાં બેઠકોની શૃંખલા પૂર્ણ કરીને મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી મિડીયા બ્રિફીંગ કરશે અને ત્યારબાદ ગાંધીનગર પરત આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments