Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાઘેલાનો સનસનીખેજ દાવોઃ રૂપાણી સરકાર ચૂંટણીના પરિણામ બાદ થશે ઘરભેગી

Webdunia
મંગળવાર, 30 એપ્રિલ 2019 (16:00 IST)
ગુજરાતનાં રાજકારણનાં દીગ્ગજ નેતા અને હમણાં NCPમાં જોડાયેલ શંકરસિંહ વાઘેલાએ સનસનીખેજ દાવો કરતાં જણાવ્યું હતું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે તો ગુજરાત  સહીત અનેક રાજ્યોમાં સરકાર બદલાઈ જશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્ર ભાજપનાં ઘણાં ધારાસભ્યો મારા સંપર્કમાં છે અને સરકાર બનવાની રાહ  જોઈ રહ્યા છે.  તેઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મને લાગી રહ્યું છે  જો કેન્દ્રમાં ભાજપની સરકાર નહીં રહે તો ગુજરાત સહીત અન્ય ઘણાં રાજ્યોમાં સરકાર બદલાઇ શકે છે.ગુજરાતમાં ભાજપના ધારાસભ્યો લાંબા સમયથી દુઃખી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ભાજપનાં ધારાસભ્યોએ મારી સાથે મુલાકાત કરી હતી. શંકરસિંહ વાઘેલાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કેન્દ્રમાં સરકાર બદલાયા પછી ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર એક મહિનો પણ ટકી નહીં શકે. તેઓએ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 10 બેઠકો મળશે તેવો દાવો પણ કર્યો હતો. જો કે શંકરસિંહ વાઘેલાના આ દાવાને ભાજપે નિરાધાર ગણાવ્યો હતો.ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે ગુજરાતનાં લોકોએ શંકરસિંહ વાઘેલાનાં જુઠ્ઠાંણાઓ સાંભળ્યા છે અને આ એક પાયાવિહોણો દાવો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે શંકરસિંહ વાઘેલા મીડિયામાં ચમકવા માટે આ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી સમયે વાઘેલાએ કોંગ્રેસમાંથી બળવો કર્યો હતો. તેમની સાથે કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ પણ રાજીનામાં આપ્યા હતા. લોકસભા ચૂંટણી અગાઉ તેઓ શરદ પવારનાં પક્ષ NCPમાં જોડાઈ ગયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments