Webdunia - Bharat's app for daily news and videos

Install App

vadodara violence- વડોદરામાં કોમી છમકલું કઈ રીતે થયું અને પોલીસે કેવી રીતે કાબૂ મેળવ્યો?

Webdunia
મંગળવાર, 19 એપ્રિલ 2022 (08:09 IST)
દેશમાં અનેક સ્થળોએ રામનવમીને દિવસે હિંસા થઈ એ બાદ હવે હનુમાનજયંતીના રોજ દિલ્હીના જહાંગીરપુરી અને કર્ણાટકના હુબલીમાં કોમી હિંસા ભડકી હતી. આવી જ ઘટના ગુજરાતના વેરાવળ અને વડોદરામાં પણ ઘટી છે.
 
 
વેરાવળમાં હનુમાનજયંતી નિમિત્તે યોજાયેલી શોભાયાત્રા દરમિયાન કથિત રીતે એક મસ્જિદ પર ઝંડો ફરકાવતો એક વીડિયો વાઇરલ થયા બાદ તણાવભરી પરિસ્થિતિ સર્જાઈ હતી.
 
જ્યારે વડોદરામાં હનુમાનજયંતીના બીજા દિવસે રાત્રે બે જૂથો વચ્ચેની અથડામણમાં એક મંદિરની મૂર્તિ ખંડિત થઈ હોવાનું અને કેટલાંક લોકોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
 
પોલીસે બન્ને મામલાને લઈને ફરિયાદ નોંધી હતી અને શકમંદોની અટકાયત કરી છે અને તપાસ શરૂ કરી છે.
 
વડોદરામાં બે સમુદાયના ટોળા વચ્ચે અથડામણ કઈ રીતે શરૂ થઈ
અમે રાત્રે પોણા બાર વાગ્યે ચા પીને ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અમદાવાદી પોળના નાકે ઊભેલા દસેક લોકોએ કોઈ કારણ વગર અમને ઊભા રાખ્યા અને મારવાનું શરૂ કર્યું."
 
વડોદરાના રાવપુરા પોલીસમથકે નોંધાયેલી ફરિયાદમાં 30 વર્ષીય મિરાન હાફીજઅલી સૈયદ આવું જણાવે છે.
 
તેમણે નોંધાવેલી પોલીસફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પોતાના મિત્ર સાથે ન્યાયમંદિર પાસે ચા પીને પાછા તેમના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રાવપુરામાં આવેલી અમદાવાદી પોળ બહાર ઊભેલા કેટલાક લોકોએ વગર કોઈ કારણે તેમને ઊભા રાખીને મારવાનું શરૂ કર્યું હતું.
 
આ બન્નેના મારતી વખતે ત્યાંથી પસાર થઈ રહેલી અન્ય એક વ્યક્તિને પણ આ ટોળાએ માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.
 
હાલમાં ફરિયાદી સહિત કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત હાલતમાં વડોદરાની સયાજી હૉસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે.
 
આ ઘટના બાદ જોતજોતામાં રાવપુરા વિસ્તારમાં બે સમુદાયનાં ટોળાં વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. જેમાં એક મંદિરમાં સ્થાપિત મૂર્તિ પણ ખંડિત થઈ હોવાનું જાણવા મળ્યું છે.
 
આવી જ રીતે વેરાવળમાં પણ એક મસ્જિદ પર ચઢીને ઝંડો ફરકાવાઈ રહ્યો હોવાનો વીડિયો વાઇરલ થયા બાદ છમકલું થયું હતું. જે બાદ પોલીસે 30 જેટલા લોકોની ધરપકડ કરી છે.
 
વેરાવળમાં શું થયું હતું?
હનુમાનજયંતીના દિવસે વેરાવળની એક મસ્જિદ પર એક વ્યક્તિ દ્વારા ઝંડો ફરકાવવામાં આવતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.
 
વાઇરલ વીડિયોના પગલે પોલીસફરિયાદ નોંધાતાં પોલીસે તે જ શકમંદોની અટકાયત કરી હતી.
 
જોકે, લોકોની ધાર્મિક લાગણી દુભાતાં બે જૂથોનાં ટોળાં આમનેસામને આવી ગયાં હતાં. જેથી વેરાવળમાં તણાવગ્રસ્ત પરિસ્થિતિ સર્જાઈ હતી.
 
જોકે, પરિસ્થિતિ વણસે તે પહેલાં જ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને ટોળાને વેરવિખેર કર્યું હતું.
 
જિલ્લા પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજાએ મીડિયાને સંબોધતાં કહ્યું, "આ મામલે કુલ બે ફરિયાદ નોંધવામાં આવી છે. રેલીનું આયોજન પરવાનગી વગર કરવામાં આવ્યું હોવાથી તેના આયોજકો સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે."
 
તેમના જણાવ્યા પ્રમાણે, આ મામલે અત્યાર સુધી 30 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments