Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરાના 3 સગા ભાઇઓની લાશ તળાવમાં ડૂબ્યા, 24 કલાક બાદ લાશ મળી

વડોદરાના 3 સગા ભાઇઓની લાશ તળાવમાં ડૂબ્યા, 24 કલાક બાદ લાશ મળી
, ગુરુવાર, 10 ડિસેમ્બર 2020 (06:24 IST)
વડોદરા જિલ્લાના કોલિયાદ ગામમાં ગુમ એક જ પરિવારના ત્રણ સગા ભાઇઓની લાશ તળાવમાંથી મળી છે. ત્રણેય સગા ભાઇ અચાનક ગુમ થઇ ગયા હતા, જેમની આસપાસના ગામમાં તપાસ કરવામાં આવી રહી હતી. એક જ પરિવારના ત્રણ ભાઇઓના મોત પર આખા ગામમાં માતમ પ્રસરી ગયો છે. પોલીસે કેસ દાખલ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. 
 
કરજણ તાલુકાના કોલિયાદ ગામમાં રહેનાર ભરવાડ પરિવારના ત્રણ સંતાન મધુર (13), ધ્રુવ (10) અને ઉત્તમ મંગળવારે સવારે ઘરેથે રમવા નિકળ્યા હતા. બપોર સુધી ઘરે પરત ન ફરતા પરિવારે તેમની શોધખોળ શરૂ કરી. આખા ગામમાં જ્યારે તેમની જાણ ન થઇ તો આસપાસના ગામમાં સૂચના આપવામાં આવી, પરંતુ ત્યારબાદ મળી ન આવતાં પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 
 
બુધવારે સવારે ગામના કેટલાક લોકોએ તળાવમાં લાશ તરતી જોઇ તો અન્ય ગ્રામજનોને જણાવ્યું. ગ્રામજનોએ જ ત્રણેયની લાશને બહાર કાઢી અને પોલીસને સૂચના આપી. એક જ પરિવારના ત્રણેય ભાઇઓની મોત પર આખા ગામમાં માતમ પ્રસરી ગયો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

200 રૂપિયા સુધીની એરટેલનો બેસ્ટ પ્રી-પેઇડ પ્લાન, અનલિમિટેડ કૉલિંગ