Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આજે રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ

Vaccination start in Gujarat
, શનિવાર, 16 જાન્યુઆરી 2021 (12:08 IST)
આજથી રાજ્યભરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. સવારે 10 વાગ્યાથી અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના કુલ ગુજરાતના 161 બૂથ પરથી રસી અપાશે. દરેક બૂથ પર 100 આરોગ્ય કર્મીઓને પ્રથમ દિવસે આ રસી આપવામાં આવશે. આમ પ્રથમ દિવસે 16,000થી વધુ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે. જ્યારે દેશભરમાં 3 હજાર બૂથ પર 3 લાખ લોકોને રસી અપાશે. કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું છે કે જે લોકોને રસી અપાશે તેમના મોબાઈલ પર મેસેજ મોકલાશે.
Vaccination start in Gujarat

ગુજરાતમાં રસીકરણ માટે સિવિલ કે જનરલ હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રો, ખાનગી હોસ્પિટલો, શાળાઓ તથા અને અન્ય સરકારી સ્થળોએ પણ રસીકરણ બૂથ ઊભાં કરાયાં છે.આજથી અમદાવાદમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં વેક્સિન માટેની તૈયારી શરૂ થઈ ગઈ છે. આજે 100 લોકોને વેક્સિન આપવામાં આવશે.સિવિલના ટ્રોમાં વોર્ડમાં સવારથી જ સ્ટાફને એલર્ટ રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેક્સિનને ઓનલાઈન શરૂઆત કર્યા બાદ વેક્સિન શરૂ થશે. હાલ પેરા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને વેક્સિન આપવામાં આવશે. ત્યારબાદ અન્ય લોકો માટેની વ્યવસ્થા કરવામાં આવશે. અમદાવાદ સિવિલના સુપ્રિટેન્ટેન્ડ જે.પી મોદી, એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ સહીત 11 ડૉક્ટરો રસી લેશે. તે ઉપરાંત હેલ્થ વર્કરોને પણ વેક્સિન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં વેક્સિન આપ્યા બાદ તેમને અડધો કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. હાલ પેરા સિવિલ હોસ્પિટલમાં સ્ટાફને વેકસીન આપવામાં આવશે .ત્યાર બાદ અન્ય લોકો માટેની વ્યવસ્યા કરવામાં આવશે.રાજકોટમાં આજે 900 લોકોને વેક્સિન આપવામાં આવશે. આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓ, 50 વર્ષથી વધુની ઉંમરના લોકોને અને કોમોર્બિડ લોકોને વેક્સિન આપવામાં આવશે. રાજકોટમાં 6 અને જિલ્લામાં 3 સ્થળ પર વેક્સિન આપવામાં આવશે. જે લોકોને વેક્સિન આજે આપવાની છે તે લોકોને મેસેજ કરીને જાણ કરી દેવામાં આવી છે. સિવિલમાં જે વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યાં જ વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે.
Vaccination start in Gujarat

સુરત મહાનગરપાલિકાના હેલ્થ સેન્ટરોજ-શહેરની મોટી હોસ્પિટલો મળી કુલ 14 સ્થાનો પર વેક્સિનેશનના 10.30થી શ્રીગણેશ કરવામાં આવનાર છે. એક સેન્ટર પર દૈનિક 100 હેલ્થ કેર વર્કરો મળી 14 સ્થાનો પર કુલ 1400ને વેક્સિનેશન કરવામાં આવશે. જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કોરોના વેક્સિનેશન માટે ત્રણ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વેક્સિનેશન આપવાની કામગીરી શરૂ, 100 લોકોને વેક્સિન અપાશે