Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ રેલવે સ્ટેશનથી હવે 24 કોચની ટ્રેન ઉપાડી શકાશે

Webdunia
સોમવાર, 15 ઑક્ટોબર 2018 (11:46 IST)
અમદાવાદ રેલવે સ્ટેશન પર હાલ ત્રણ ફીટલાઇનના વિસ્તરણની કામગીરી ચાલી રહી છે. જેના થકી હવે ૨૪ કોચની ટ્રેન અમદાવાદથી ચલાવવી શક્ય બનશે. આ કામગીરી પૂર્ણ થયે રાજધાની ટ્રેનને પ્લેટફોર્મ નંબર ૧ પરથી ચલાવી શકાશે. જેના કારણે મુસાફરોને મોટી રાહત મળશે. આ અંગે રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ રાજધાની ટ્રેન હાલ જે પ્લેટફોર્મ નંબર ૧૦ પરથી ચલાવાઇ રહી છે. તેને પ્લેટફોર્મ નંબર ૧ પરથી ચલાવવાની મુસાફરોની માંગણી હતી. જે હવે આગામી વર્ષે પૂર્ણ થાય તેવી શક્યતા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર ૨૪ કોચની ટ્રેનો દોડાવવી ટેકનીકલી શક્ય નહોતું. હવે સમયની માંગને જોતા ૨૪ કોચની ટ્રેન દોડાવી શકાય તે માટેનું માળખું ઉભુ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વારની બાજુમાં ચાર ફીટલાઇનો આવેલી છે. જેમાં અત્યાર સુધી ૧૭ કોચની ટ્રેનની જ મરામત કામગીરી કરી શકાતી હતી. તેમાંથી એક ફીટલાઇનને વિસ્તારીને તેમાં ૨૧ કોચની મરામત કરી શકાય તેવી સુવિધા ઉભી કરાઇ છે. હવે બાકીની ચાર ફીટલાઇનોના વિસ્તરણની કામગીરી ચાલી રહી છે. જ્યાં ૨૧ કોચની ટ્રેન ઉભી રહી શકે તે માટેની કામગીરી આગામી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે. આ ચારેય ફીટલાઇનોમાં ૨૪ કોચની ટ્રેન ઉભી રહી શકે તે માટેની પણ કામગીરી કરાશે. જે આગામી માર્ચ માસ સુધીમાં પૂર્ણ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments