Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે જલારામ જયંતિ, વીરપુરમાં 239 દિવસ બાદ ફરીથી ખુલશે અન્નક્ષેત્ર

Webdunia
શનિવાર, 21 નવેમ્બર 2020 (10:54 IST)
સૌરાષ્ટ્રના સંત પૂજ્ય જલારામ બાપૂની જન્મભૂમિ અને કર્મભૂમિ વેરપુરમાં કોરોના દરમિયાન બંધ કરવામાં આવેલા અન્નક્ષેત્ર 239 દિવસો બાદ નવા વર્ષથી ફરીથી દર્શાનાર્થીઓ માટે શરૂ કરવામાં આવ્યા છે. મંદિરમાં ટોકન સાથે દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે અને કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે જ ભક્તોને પ્રસાદ પણ આપવામાં આવશે. 
 
ટુકડો ત્યાં હરિ ઢુકડોની ભાવના સાથે વીરપુરમાં ગત 200 વર્ષથી સદાવ્રત ચાલી રહ્યું છે. આ સદાવ્રત ગુજરાતમાં છપ્પનિયા દુકાળના સમયમં પણ બંધ થયું ન હતું. લોકડાઉન જાહેર થયું ત્યારથી દર્શનાર્થીઓ માટે આ અન્નક્ષેત્ર બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ મંદિરમાં આશ્રિત ભિક્ષુક, દિવ્યાંગ તથા પ્રાંતીય મજૂરો માટે અન્નક્ષેત્ર ચાલુ હતું પરંતુના સ્થાન પર લોકોના ઘરે જઇને ભોજન આપવામાં આવતું હતું. 
 
એટલે કે અન્નક્ષેત્ર એકપણ દિવસ બંધ રહ્યું નથી. જલારામ બાપૂની જન્મજયંતિ આજે છે એવામાં દેશ-વિદેશના દર્શનાર્થીઓ માટે મંદિરમાં વ્યવસ્થા કરવામાં આવી છે. 
 
કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. એટલા માટે મંદિરમાં જનાર લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે મંદિરમાં માસ્ક પહેરીને આવે તથા ત્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે. મંદિરમાં પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં દર્શન માટે આવનાર લોકોને માસ્ક ફરજિયાત પહેરવું પડશે અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન પણ અનિવાર્ય કરી દીધું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

15 કલાક બાદ બોરવેલમાંથી બાળકી સુરક્ષિત બહાર આવી, રેસ્ક્યુ ટીમે ટનલ બનાવીને તેનો જીવ બચાવ્યો

આગળનો લેખ
Show comments