Webdunia - Bharat's app for daily news and videos

Install App

બનાસકાંઠામાં બીજા દિવસે સાર્વત્રિક કમોસમી વરસાદ, મગફળી અને કપાસનો પાક પલળી જતાં વેપારીઓ રોવાનો વારો આવ્યો

Webdunia
શુક્રવાર, 19 નવેમ્બર 2021 (10:17 IST)
બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થતાં માર્કેટયાર્ડ માં નુકસાન થયું હોવાની ઘટનાઓ સામે આવી છે. જિલ્લામાં બીજા દિવસે પણ કમોસમી વરસાદ  યથાવત રહ્યો હતો. પાલનપુર અને ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદના કારણે મગફળી અને કપાસ પલળી જતા વેપારીઓ અને ખેડૂતો ને મોટુ નુકસાન થયું છે. બીજા દિવસે પણ ડીસા, લાખણી, દિયોદર, કાંકરેંજ, ભાભર, ધાનેરા, પાલનપુર, ભાભર, વડગામ, અમીરગઢ, દાંતીવાડા સહિત અનેક પંથકોમાં કમોસમી વરસાદ નોધાયો હતો. સતત બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે જેના કારણે પાલનપુર અને ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં વરસાદના કારણે અનાજની બોરીઓ પલળી ગઇ છે. પાલનપુરમાં માર્કેટયાર્ડની હજારો બોરીઓ પલળી જતા વેપારીઓ અને ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. જ્યારે ઇકબાલગઢ માર્કેટયાર્ડ માં પણ ખુલ્લામાં રહેલો કપાસ પાલડી જતાં વેપારીઓને નુકસાન થયું છે.
જિલ્લામાં 24 કલાકમાં પડેલ કમોસમી વરસાદ..
 
થરાદ -40 મીમી
ધાનેરા-26 મીમી
દાંતા-22 મીમી
કાંકરેંજ -21 મીમી
લાખણી -20મીમી
પાલનપુર-19 મીમી
વડગામ-17 મીમી
દિયોદર -16 મીમી
ભાભર -14 મીમી
ડીસા-13 મીમી
સુઇગામ -12 મીમી
અમીરગઢ -5મીમી
દાંતીવાડા -4 મીમી
વાવ-4 મીમી
 
પાટણ જિલ્લા ના નવ તાલુકા માં 24 કલાક દરમ્યાન પડેલ કમોસમી વરસાદ 
 
ચાણસ્મા 23 મીમી
પાટણ.16 મીમી
રાધનપુર  29 મીમી
શંખેશ્વર 15  મીમી
સમી  10  મીમી
સાંતલપુર 32 મીમી
સિદ્ધપુર   43 .મીમી
હારીજ   21.મીમી
સરસ્વતી  12 મીમી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

આગળનો લેખ
Show comments