Webdunia - Bharat's app for daily news and videos

Install App

આગામી 3 દિવસમાં ઠંડીનો ચમકારો વધશે, જાણો માવઠાને લઇને શું છે આગાહી

Webdunia
મંગળવાર, 9 નવેમ્બર 2021 (09:47 IST)
અરબ સાગરમાં ગત થોડા દિવસોથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં અચાનક ફેરફાર આવ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાંની સંભાવના છે. જોકે સમુદ્રમાં લો પ્રેશર બનતાં હજુ 4 થી 5 દિવસ સુધી માછીમારોને સમુદ્ર ન જવાની સલાહ આપવામાં આવી છે. 
 
તમને જણાવી દઇએ કે અરબી સમુદ્રમાં સક્રિય થયેલા લો-પ્રેશરની અસરથી ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ છે. 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે, જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠાંની શક્યતા નહિવત્ છે.  અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે. બીજી તરફ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાનનો પારો ગગડતાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે.
 
વલસાડ અને નલિયામાં લઘુતમ 16 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.
 
હવામાન વિભાગના નિર્દેશક મનોરમા મોહંતીએ જણાવ્યું કે અરબી સમુદ્રમાં ડિપ્રેશનના લીધે ગુજરાતના હવામાન પર કોઇ અસર જોવા મળશે નહી. જોકે ગુજરાતમાં ગમે ત્યારે વરસાદની સંભાવના નથી. જોકે ત્યારબાદ પણ તેમણે તમામ પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવવાનો આદેશ આપ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments