Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંજૂરી સાથે સુરતથી વારાણસી માટે નીકળેલી ચાર બસ ગુજરાત બોર્ડર ક્રોસ ન કરી શકી

Webdunia
શનિવાર, 2 મે 2020 (15:55 IST)
લૉકડાઉનને કારણે રાજ્યમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરોને મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે આખા રાજ્યમાં નોંધણી કરવામાં આવી રહી છે. જે બાદમાં સરકાર તરફથી તેમને મૂકવા માટેની જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

વારાણસી જવા માટે ચાર બસ નીકળી હતી. આ તમામ બસોમાં શ્રમિકો સવાર હતા. જોકે, આ તમામ બસોએ અડધેથી જ પરત ફરવું પડ્યું હતું. ચાર બસમાં કુલ 200 જેટલી શ્રમિકો સવાર હતા. આ તમામ લોકોને મધ્ય પ્રદેશની સરહદ પરથી પરત મોકલવામાં આવ્યા છે.

આ તમામ લોકો સચિન જીઆઈડીસી ખાતેથી નીકળ્યા હતા. જરૂરી મંજૂરી હોવાથી આ તમામ બસોને મધ્ય પ્રદેશની સરહદ સુધી જવા દેવામાં આવી હતા. મધ્ય પ્રદેશની સરહદ પર બસોને રોકી દેવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે હાલ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન માટે જ મંજૂરી મળી છે. ઉત્તર પ્રદેશની મંજૂરી રદ કરવામાં આવી છે.આ અંગે એક મુસાફરે જણાવ્યું હતું કે, રાત્રે બે વાગ્યાની આસપાસ અમારી બસને રોકી દેવામાં આવી હતી. જે બાદ અમારે પરત ફરવું પડ્યું હતું. અમારી પાસે મંજૂરી હોવાથી ગુજરાત પોલીસે રસ્તામાં તમામ જગ્યાએથી બસને જવા દીધી હતી. અમે રૂમ ખાલી કરીને નીકળ્યા હોવાથી હવે અમારી પાસે રહેવા માટે કંઈ નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments