Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતની 14 વર્ષની સગીરાને 24 સપ્તાહનો ગર્ભપાત કરવા ગુજરાત હાઈકોર્ટની મંજૂરી

Webdunia
ગુરુવાર, 25 જુલાઈ 2019 (12:40 IST)
સુરતની 14 વર્ષની સગીરાને હાઈકોર્ટે 24 સપ્તાહનો ગર્ભપાત કરવા મંજૂરી આપી છે. સગીરા પર તેના બનેવીએ દુષ્કર્મ કર્યુ હતું. તેનાથી તેને ગર્ભ રહી ગયો હતો. હાઇકોર્ટે તબીબોના રિપોર્ટના આધારે સગીરના ગર્ભને પાડવા મંજૂરી આપી છે. હાઈકોર્ટે લીગલ એઇડ ઓથોરિટીના ચેરમેન સમક્ષ વળતર મેળવવા અરજી કરવા અને ચેરમેનને વળતર ચૂકવવાનો નિર્દેશ કર્યો છે. સુરતની સગીરાના તરફથી એડવોકેટ રફીક લોખંડવાલાએ એવી દલીલ કરી હતી કે, કોદરા ખાતે રહેતી 14 વર્ષની સગીરના ઘેર તેના સગા બનેવીએ વારંવાર આવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને અચાનક પેટમાં દુખાવો થતો હોવાથી તેના માતા-પિતા તબીબ પાસે ગયા હતા જ્યાં તે ગર્ભવતી હોવાનું જાણતા સમગ્ર ઘટના બહાર આવી હતી. સુરતની સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની પેનલે પીડિતાના તપાસનો એવો રિપોર્ટ આપ્યો હતો કે, તેને 24 સપ્તાહનો ગર્ભ છે. પીડિતાની માનસિક-શારીરિક સ્વાસ્થ્ય તપાસતાં તેના જીવને જોખમ હોવાથી ગર્ભ રાખી શકાય તેમ નથી તેવું તારણ રજૂ કર્યું હતું. જેને આધારે કોર્ટે ગાયનેકોલોજિસ્ટની પેનલે સગીરાનો ગર્ભપાત કરવા મંજૂરી આપી છે. આ સાથે જ લીગલ એઇડ સર્વિસના ચેરમેનને વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે. પીડિતાના ગર્ભના ટિબ્યૂન ડીએનએ તપાસવા રાખી મૂકવા આદેશ કર્યો છે. સગીરાના જીજાજી કોઇને કોઇ બહાને તેમના સસરાના ઘરે આવી એકલતાનો લાભ લઇને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો. કોઇને કંઇ કહેશે તો મારી નાખવાની ધમકી આપતો હતો. પીડિતાને પેટમાં દુખવો થતા માતા-પિતાએ તબીબી તપાસ કરાવી હતી. રિપોર્ટમાં સગીરા ગર્ભવતી હોવાનું જાણતા હાઇકોર્ટમાં ગર્ભપાત માટે અરજ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments