Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં 6 પોઝિટિવ દર્દીઓ પૈકી 4 સ્થિર જ્યારે 2ની હાલત નાજુક

Webdunia
શુક્રવાર, 27 માર્ચ 2020 (14:02 IST)
કોરોનાના શહેરમાં વધુ 11 શંકાસ્પદ દર્દી સામે આવ્યા હતા. જોકે, મહાવીર હોસ્પિટલના 3 કર્મચારીઓ સહિત નોંધાયેલા 11 શંકાસ્પદ દર્દીઓ પૈકી 2 દર્દી સહિત 10નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે હાલમાં દાખલ 6 પોઝિટિવ દર્દીઓ પૈકીના 4ની સ્થિતી હાલ સ્ટેબલ હોવાનું તેમજ 2 દર્દીની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે રાત્રી દરમિયાન પણ તંત્ર દ્વારા ફાયર બ્રિગેડની મદદથી શહેરની તમામ સોસાયટીઓને સેનિટાઈઝ કરવાની કામગીરી ચાલી રહી છે. ગત રોજ શેહરમાં આવેલી રેપીડ એક્શન ફોર્સ આજે સવારથી લોકડાઉનનો કડક અમલ કરાવવા કામે લાગી ગઈ છે. દરમિયાન સિવિલ હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલી કોરોના હોસ્પિટલ ખાતે સફાઈ કામદારને સેનિટાઇઝર અને માસ્ક જેવી વસ્તુઓ ન આપવામાં આવતા હોબાળો મચાવ્યો હતો. સુરત સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગ ખાતે કોરોના માટે 250 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. જેમાં આજે સફાઈ કામદારો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. સફાઈ કામદારને સેનિટાઇઝર અને માસ્ક જેવી વસ્તુઓ ન આપવામાં આવતા હોબાળો મચાવ્યો હતો. એક સામાજીક કાર્યકરે ટ્વિટ દ્વારા ફરિયાદ પણ કરી હતી કે, બહાર નિકળતા સફાઈ કામદારોને પોલીસની હેરાનગતિ પણ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Train Accident - MPમાં ટ્રેન અકસ્માત, ઈન્દોર-જબલપુર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

Ganesh Chaturthi 2024 - જાણો કેમ ઉજવાય છે ગણેશ ચતુર્થી અને શુ છે તેનુ મહત્વ

શાહીન આફ્રિદીને મળી કપ્તાની, બાબર આઝમના ખાલી હાથ; મોહમ્મદ રિઝવાન પણ મોટી જવાબદારી નિભાવશે

Ganesh Chaturthi Wishes & Quotes 2024 - ગણેશ ચતુર્થી પર આ શાનદાર સંદેશા સાથે તમારા સંબધીઓ અને મિત્રોને આપો શુભકામનાઓ

ગુજરાતમાં 4 હજાર જૂના શિક્ષકોની ભરતી માટે આ તારીખે જાહેરાત પ્રસિદ્ધ થશે

આગળનો લેખ
Show comments