Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં ફાયર વિભાગનો સપાટો - ફાયર સેફટી નો અભાવ હોય તેવી હોસ્પિટલો અને કોમ્પલેક્ષ ની દુકાનો કરી સીલ

Webdunia
ગુરુવાર, 4 માર્ચ 2021 (10:43 IST)
સુરત શહેરમાં ફાયર વિભાગ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં ફાયર સેફટી નો અભાવ હોય તેવી હોસ્પિટલો અને કોમ્પલેક્ષ ની દુકાનો માં સીલ કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરવામાં આવી હતી. જેને લઇને શહેરભરમાં ફફડાટ ફેલાયો છે.
 
ફાયર વિભાગે અલગ-અલગ વિસ્તારોના ફાયર સ્ટેશનના અધિકારીઓ અને સુચના આપી હતી કે તેમના વિસ્તારમાં જે પણ હોસ્પિટલો હોય તે હોસ્પિટલોની તપાસ કરવામાં આવે અને જ્યાં ફાયરસેફ્ટી નો અભાવ દેખાય તે હોસ્પિટલોને તાત્કાલિક અસરથી સીલ મારવાની કામગીરી કરવામાં આવે જેને ધ્યાનમાં રાખીને આજે વહેલી સવારથી જ ફાયર વિભાગ ની અલગ અલગ ટીમ વિવિધ વિસ્તારોમાં જઈને ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો.તે હોસ્પિટલોને સીલ કરવાની કામગીરી શરૂ કરી હતી.
ફાયર વિભાગે આજે વહેલી સવારે ૩૨ જેટલી હોસ્પિટલો અને સીલ કરવાની કામગીરી કરી હતી જે હોસ્પિટલોની અંદર ફાયરસેફ્ટી નો અભાવ હતો તે હોસ્પિટલોને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી કાર વિભાગે નોટિસ માં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે હોસ્પિટલના સંચાલકોએ તાત્કાલિક અસરથી ફાયર સેફ્ટીની વ્યવસ્થા પૂર્ણ કરવી જોઈએ ઘણી એવી હોસ્પિટલ હતી કે જા ફાયર સેફ્ટીના સાધનો હતા, પરંતુ તે આગ લાગે ત્યારે તેને બુદ્ધ આવી શકવામાં સક્ષમ ન હતા તેવું પણ જાણવા મળ્યું હતું આવા હોસ્પિટલોને પણ ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવ્યો હોવા છતાં તેમણે ફાયર સેફ્ટીની પૂર્ણ સુવિધા કરી ન હતી. ફાયર વિભાગે એવા તમામ હોસ્પિટલો નસીર મારવાની કામગીરી કરી હતી.
 
કતારગામ ,ભટાર, રાંદેર, લિંબાયત ડીંડોલી જેવા અલગ અલગ વિસ્તારોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય ત્યાં સીલ ની કામગીરી કરી હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ અને શોપિંગ કોમ્પ્લેક્ષ ઓમાન ફાયર સેફ્ટીના અભાવને લઇ ને નોટિસ ફટકારી હતી છતાં ફાયર સેફટી યોગ્ય રીતે કરવામાં આવી ન હતી સુરતમાં અને રાજ્યમાં સમય અંતરે હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી રહી છે. એવા સમયે દર્દીઓને જીવ ગુમાવવાનો વખત આવતો હોય છે. હોસ્પિટલના સંચાલકોની બેદરકારીને કારણે દર્દીઓને પોતાનો જીવ ગુમાવવો પડે છે. જે ખૂબ જ ગંભીર બાબત છે જેને ધ્યાનમાં રાખીને સુરત ફાયર વિભાગે શહેરભરમાં આ કામગીરી શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments