Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત નેશનલ હાઇવે 48 પર ટેન્કર અને કન્ટેનર વચ્ચે અકસ્માત, 4ના મોત

Webdunia
ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2019 (11:37 IST)
અમદાવાદ મુંબઇ હાઇવે નં-48 પર આજે વહેલી સવારે ટેન્કર અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં નેશનલ હાઇવે નં-48 પર ઉભેલા ટેન્કરની પાછળના ભાગેમાં ધડાકાભેર ઝીંગા ભરેલું કન્ટેનર અથવડાતા કન્ટેનરના કેબિનનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. આ ઘટનામાં કન્ટેનરમાં બેઠેલા 4 વ્યક્તિઓના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.
 
જો કે, આ અકસ્માતની જાણ થતા જ IRB, 108 અને પાલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ અકસ્માત સર્જાતા નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. પાલોદ પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક ખુલ્લો કર્યો હતો અને કન્ટેનરમાંથી ચારે વ્યક્તિઓના મૃતદહેને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
 
પોલીસ દ્વારા બે મૃતદેહને તો પહેલા બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પરંતુ કન્ટેનરમાં ફસાયેલા અન્ય બે મૃતદેહને કલાકોની મહેમત બાદ ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે પાલોદ પોલીસે ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ હોસ્પિટલ ખસેડ્યા હતા. તો બીજી તરફ પાલોદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Terror Attack in Baramulla: ચૂંટણી પહેલા મોટી સફળતા, બારામૂલામાં 3 આતંકવાદી ઠાર, ઓપરેશન ચાલુ

ગાઝિયાબાદમાં જ્યુસ વેચનારની ધરપકડ, ફળોના રસમાં ભેળવતો હતો માનવ પેશાબ

ગાંઘીનગરમાં મોટી દુર્ઘટના, મેશ્વા નદીમાં ડૂબવાથી 8 લોકોના મોત

મધ્યરાત્રિએ નર્સિંગ હોમમાં બોલાવવામાં આવ્યો, જ્યારે નર્સે ડૉક્ટરનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો ત્યારે ગેંગરેપ થવાની હતી.

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

આગળનો લેખ
Show comments