Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધોરણ 12માં બે વિષયમાં નાપાસ થતા વિદ્યાર્થીનીનો આપઘાત

Webdunia
ગુરુવાર, 26 મે 2022 (18:03 IST)
નાંદોદ તાલુકાના વાવડી ગામે રહેતી વૃંદા પટેલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સાયન્સની રેગ્યુલર સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી હતી. દરમિયાન તાજેતરમાં 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થતાં તે બે વિષયમાં નાપાસ થઈ હતી. જેથી તેણીને લાગી આવતા તેની એ ઘરે પંખા ઉપર ઓઢણીથી ફાંસો ખાઇ લીધો હતો. દરમિયાન બનાવની જાણ તેના પરિવારજનોને થતાં તુરંત જ વિદ્યાર્થીનીને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખાનગી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
 
આ બનાવથી પરિવામા ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ હતી અને રાજપીપળા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે તેના મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામા આવ્યો હતો. જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ પરિવારને મૃતદેહ સોપવામાં આવ્યો હતો

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments