Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં લાઇટિંગનો રાત્રિ નજારો માણશે

Webdunia
મંગળવાર, 26 નવેમ્બર 2019 (15:23 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.આગામી ડિસેમ્બર માસમાં નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાાકાતે આવી શકે છે. કેવડિયા કોલોની સિૃથત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન  અન્ય પ્રોજેક્ટ ખુલ્લા મૂકશે. એટલુ જ નહીં, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રંગબેરંગી લાઇટોનો અદભુત નજારો જોવા પણ વડાપ્રધાને ઇચ્છા વ્યક્ત કરી છે. તે જોતાં નરેન્દ્ર મોદી કેવડિયા કોલોનીમાં રાત્રી રોકાણ કરીને લાઇટીંગનો નજારો માણશે. 

આગામી ડિસેમ્બર મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર  મોદી ગુજરાત પ્રવાસ આવી શકે છે. મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં હજુય ઘણાં પ્રોજેક્ટ આકાર પામી રહ્યાં છે. જંગલ સફારી પાર્ક સહિત અન્ય પ્રોજેક્ટ પૂર્ણ થવાને આરે છે. આ નવા આકર્ષણ પ્રવાસીઓ માટે નજરાણું બની રહેશે. અત્યારે રોજના હજારો પ્રવાસી ગુજરાતભરમાંથી નહી પણ દેશભરમાંથી આવી રહ્યાં છે તે જોતાં પ્રવાસીઓને વધુ સુવિધા મળી રહે તે માટે પણ પ્રધાનમંત્રી કાર્યાલયથી ફિઝીબિલીટી  રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી દેવામાં આવી છે. 

હાલમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાત્રે લેસર શો અને રંગબેરંગી લાઇટોનો અદભુત નજારો માણવો એ પણ એક લહાવો બની રહ્યો છે. ખુદ વડાપ્રધાન પણ આ અદભુત નજારો જોવા ઇચ્છુક છે પરિણામે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાત્રી રોકાણ કરશે તેવી માહિતી સાંપડી છે. અત્યારે વડાપ્રધાનના કાર્યક્રમની તારીખને લઇને પીએમઓ સાથે વાતચીત ચાલી રહી છે.

આ ઉપરાંત અમદાવાદમાં સિવિલ કેમ્પસમાં યુ.એન.મહેતા હાર્ટ ઇન્સ્ટિટયુટના નવા બિલ્ડીંગ લગભગ તૈયાર થઇ ચૂક્યુ છે.  આ નવનિર્મિત બિલ્ડીંગનુ ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાપર્ણ કરવા આયોજન કરાયુ છે. આ બધાય કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Kolkata Blast: કોલકાતાના એસએન બેનર્જી રોડ પર બ્લાસ્ટ, કચરો વીણનારો થયો ઘાયલ

મોદીની ગુજરાત મુલાકાતને લઈને કર્મચારીઓની 17મી સપ્ટેમ્બરની હડતાલ હાલ મોકુફ પૂરતો સ્થગિત

સરદાર સરોવર બાંધ ઓવરફ્લો થવાથી માત્ર બે મીટર દૂર, ભરૂચ ગામમાં એલર્ટ

Suicide or Murder - કુવામાં મળી એક જ પરિવારના 4 લોકોની લાશ, સુસાઈડ કે મર્ડર... સસ્પેંસ કાયમ

પાકના ભાવથી લઈને કામકાજ સુધી ખેડૂતોની થઈ ચાંદી, મોદી સરકારે લીધા આ મોટા નિર્ણયો

આગળનો લેખ
Show comments