Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેના લારી ગલ્લા દૂર કરતાં સ્થાનિકોએ ભીખ માંગીને વિરોધ કર્યો

Webdunia
ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2019 (12:23 IST)
તાજેતરમાં જ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એક અધિકારીને અંગ્રેજ તરીકે ગણાવી દીધાં હતાં તેનું કારણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસ લારી ગલ્લાવાળાઓની રોજગારીને બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે ત્યારે નર્મદા નિગમના એક નિર્ણયથી 300 થી વધુ પરિવારોની રોજીરોટી છીનવાઇ જતાં તેઓ બેરોજગાર બની ગયા છે. રોજગારી છીનવતા સ્થાનિક ગ્રામજનોએ સ્ટેચ્યુ ખાતે ફરવા આવનારા પ્રવાસીઓ પાસે ભીખ માંગી અનોખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્ટેચ્યુ ખાતે મોટી સંખ્યામાં લોકો ભીખ માંગતાં જોઇ એક ક્ષણે પ્રવાસીઓ આશ્ચર્યમાં પડ્યાં હતાં. જોકે બાદમાં તેઓએ તેમની આપવિતી જાણતાં નિગમના કૃત્યથી રોજગારી છીનવાઇ જવાની વાતથી દિલગીરી વ્યક્ત કરી હતી. કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નિગમ દ્વારા 300થી વધુ લારી ગલ્લામાં દુર કરી દેવાયાં છે. ત્યારે રોજગારી છીનવાઇ જતાં કેવડિયાની શિક્ષિત મહિલાઓ, યુવાનો અને આગેવાનો તેમજ રોજગારી ગુમાવનારા લોકોએ હાથમાં કટોરી લઇને પ્રવાસીઓ પાસે ભીખ માંગી પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રવાસીઓને તેવો બેરોજગાર બનતા ભીખ માંગવા સિવાય બીજો કોઈ રસ્તો નથી કેમકે જે ઘરનો ચૂલો સળગે એટલું કમાતા હતાં. એ તો આ અધિકારીઓએ છીનવી લીધો એટલે આમે ભીખ માંગી રહ્યા છે કહી વિરોધ કરતા હતા. જે સ્થાનિકો ભીખ માંગી રહ્યા છે, તેમની રોજગારી આધિકારીઓએ છીનવી હોવાનું પ્રવાસીઓને માલુમ પડતાં તેઓએ પણ અધિકારીઓ પર ફિટકાર વરસાવી હતી. ઉપરાંત દુકાનો બંધ રહેતા પ્રવાસીઓએ પણ સ્વીકાર્યું કે આ લોકો વગર પ્રવાસીઓને ખુબ મુશ્કેલી પડી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments