Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, આ આરોગ્યકર્મી મહિલાઓને કોવિડ વોર્ડ સિવાયની કામગીરી સોપાશે

Webdunia
શનિવાર, 8 ઑગસ્ટ 2020 (13:40 IST)
રાજયમા પ્રવર્તી રહેલ કોરોના વાયરસ COVID-19ની અસરોને પહોંચી વળવા તેમજ તેને અટકાવવા અને નિયંત્રણની કામગીરી ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ -૧૮૯૭ અન્વયે રાજયમાં ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન- ૨૦૨૦ અમલમા છે.કોરોનાની કામગરી માટે જજૂમી રહેલી મહિલા કોરોના વોરિયર્સ માટે રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે તદઅનુસાર સગર્ભા તથા સ્તનપાન કરાવતી આરોગ્યકર્મી મહિલાઓને કોવિડ વોર્ડ સિવાયની કામગીરી સોપાશે.
 
યાદીમાં વધુમાં જણાવાયાનુસાર કેન્દ્ર સરકાર ધ્વારા COVID-19ની કામગીરી સંદર્ભે તા.૧૮/૬ /૨૦૨૦ની "Advisory for Managing Health Care workers working in covid and Non covid areas of the Hospital " ની ગાઈડલાઈન મુજબ આરોગ્ય કર્મીઓને અનુસરવાની બાબતના સબ - પેરા માં જે સગર્ભા તથા સ્તનપાન કરાવતી આરોગ્યેકર્મીઓ તેઓની સ્વાસ્થય વિષયક જાણકારી હોસ્પિટલ ઓથોરિટીને કર્યા બાદ આવી સગર્ભા તથા સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓને કોવિડની કામગીરી સિવાયની કામગીરી આપવા સુચન કરાયુ છે. જેને ધ્યાને લેતાં સગર્ભા સ્ત્રીઓના સ્વાસ્થય તથા ધાત્રી માતાઓ તથા તેઓના નવજાત શીશુની સ્વાસ્થય સંબંધીત કાળજી લેવા અંગે આગમચેતી રૂપ પગલાં લેવા અંગે રાજય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.
 
આ પરિપ્રેક્ષ્યમાં કોવિડ હોસ્પિટલોમાં કામગીરી બજાવતી અને સગર્ભા/ધાત્રી માતાઓને કોરોના સંક્રમિત દર્દીઓના સીધા સંપર્કમાં ન આવવું પડે તે હેતુથી તથા સગર્ભા માતા અને તેના ગર્ભસ્થ શીશુનું સ્વાસ્થય જળવાય તેમજ ધાત્રી માતાઓ થકી નાના બાળકોમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે હેતુથી દરેક ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલે ડેડીકેટેડ કોવીડ હેલ્થ કેર સેન્ટર કોવીડ કેર સેન્ટરના પ્રશાશને સગર્ભા માતાઓ/ સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓને કોવિડ- વોર્ડ સિવાયની કામગીરી સોંપવાની વ્યવસ્થા કરવાની રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments