Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક સહાય માટે 500 કરોડનું રીવોલ્વીંગ ફંડ આપશે, વરસાદથી થયેલા નુકસાનમાં 546 કરોડના રાહત પેકેજની જાહેરાત

ભારે વરસાદથી નુકસાન થયેલા બાકી રહેલા જિલ્લાઓને સર્વે બાદ સહાય ચૂકવાશે

Webdunia
બુધવાર, 20 ઑક્ટોબર 2021 (18:20 IST)
ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકશાન સામે રાજ્ય સરકારે 546 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ભારે વરસાદથી તારાજીગ્રસ્ત તેવા જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 22 તાલુકામાં સમાવિષ્ટ 662 ગામોને આ સહાય- રાહત પેકેજમાં આવરી લેવામાં આવ્યા છે. આ રાહત સહાય પેકેજનો લાભ 2.82 લાખ અસરગ્રસ્ત ખેડૂતોને મળશે.રાજ્યમાં ભારે વરસાદને કારણે માર્ગોને જે નુકસાન થયું છે તે પૂર્વવત કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે. આ કામો પણ દિવાળી પહેલા સત્વરે પૂર્ણ કરાશે
 
રાજ્ય સરકારના પ્રવક્ત જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિના બાદ પડેલા વરસાદમાં અન્ય વિસ્તારમાં જ્યાં નુકસાન થયું છે તેવા જિલ્લાઓને પણ આ સહાય પેકેજમાં આવરી લેવામાં આવશે. હાલ અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને છોટાઉદેપુર જિલ્લામાં પણ નુકશાન અંગેના સર્વેની કામગીરી ચાલી રહી છે. તે ઉપરાંત પંચમહાલ અને ભરૂચ જીલ્લામાં પણ નુકસાન થયું હોવાની વિગતો મળતા આ કિસ્સાઓમાં આ જિલ્લાઓમાં પણ સર્વે કરાશે. એટલું જ નહીં ખેડૂતોએ આ ઓનલાઈન અરજી કરવા માટે 15 ફી ચૂકવવી ન પડે તે માટે અરજી કરવાનો ખર્ચ પણ ખેડૂતો તરફથી રાજ્ય સરકાર ચૂકવશે.
 
વાઘાણીએ ઉમેર્યું હતું કે,જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-2021માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે. આવા અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને 33 ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 13 હજારની સહાય ચૂકવાશે.
 
આ સહાયમાં SDRFના ધોરણો મુજબ SDRFની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ 6800 અપાશે.બાકીની તફાવતની હેક્ટર દીઠ 6200 મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. જો જમીનધારકતા આધારે SDRFના ધોરણો મુજબ પાંચ હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ પાંચ હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.આ રાહત સહાય પેકેજનો લાભ મેળવવા માટે તારીખ 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. 
 
ખેડૂતોને 500 કરોડનું રીવોલ્વીંગ ફંડ અપાશે
રાજ્યમાં ભારે વરસાદને કારણે માર્ગોને જે નુકસાન થયું છે તે પૂર્વવત કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે. આ કામો પણ દિવાળી પહેલા સત્વરે પૂર્ણ કરાશે. જે કામો પૂર્ણ થઇ ગયા છે આગામી સમયમાં તેના ઉદ્ઘાટન તથા નવા કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટકા વ્યાજે લોન આપવામાં આવે છે જે અંતર્ગત આ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નાણા વિભાગના સહયોગથી 500 કરોડનું રીવોલ્વીંગ ફંડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments