Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાવાગઢના ટ્રસ્ટીઓ દ્વારા દાનમાં આવતી ચાંદી કૌભાંડ આચર્યું હોવાની આશંકા

Webdunia
બુધવાર, 12 ફેબ્રુઆરી 2020 (17:19 IST)
પંચમહાલ જીલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા પાવાગઢના મહાકાળી મંદીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા કથિત રૂપે મંદીરના દાનમાં આવતી ચાંદીનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની એક અરજી કલોલના એક અરજદાર દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આ અંગે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની તપાસ કે પગલાં ન ભરાતા હાલ અરજદાર દ્વારા આ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરીયાદ દાખલ કરાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. 
 
જેના ભાગરૂપે આજે અરજદાર વિરલ ગોસ્વામી અને હાલના ટ્રસ્ટના દાતા ટ્રસ્ટી કૈલાશ ઠાકોરએ સમગ્ર મામલે આજે પંચમહાલ જીલ્લા પોલીસવડાને રૂબરૂમાં મુલાકાત કરી કૌભાંડી ટ્રસ્ટીઓ સામે ગુનો દાખલ કરવા રજુઆત કરી હતી. પંચમહાલ જીલ્લા પોલીસવડાએ આગામી ત્રણ દિવસમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાનું અરજદારને આશ્વાસન આપવામાં આવ્યું છે.
 
આ સમગ્ર મામલો ટ્રસ્ટના દાતા ટ્રસ્ટી કૈલાષભાઇ ઠાકોરના ધ્યાને ત્યારે આવ્યો હતો જ્યારે મંદીરની ચાંદી શુદ્ધ કરવા મેલ્ટીન્ગની પ્રક્રિયામાં આપવા અંગેનો અહેવાલ ટપાલ દ્વારા જાણવા મળ્યો હતો. જ્યારથી આ ટ્રસ્ટ્રી દ્વારા વહીવટ કરવામાં આવે છે ત્યારથી ચાંદીમાં 70 ટકાથી વધુ ઘટ આવવા લાગી હતી. જે અંગે શંકા જતા આ સમગ્ર મામલે દાતા ટ્રસ્ટી દ્વારા તપાસ કરવામાં આવતા કથિત ચાંદી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી હતી.
 
ત્યારબાદ અરજદાર અને દાતા ટ્રસ્ટી દ્વારા આ સમગ્ર મામલે પોલીસ ફરીયાદ નોંધાવવાની ગતિવિધિઓ તેજ કરવામાં આવી હતી. આગામી ત્રણ દિવસમાં પંચમહાલ પોલીસ દ્વારા જો યોગ્ય કાર્યવાહી ન થાય તો સી.આઈ.ડી ક્રાઈમ ગાંધીનગરને રજૂઆત કરી સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હું માફી માંગુ છું, રાજીનામું આપવા તૈયાર... મમતા બેનર્જીએ ડોક્ટરોના વિરોધ પર કરી આ ઓફર

કોલકત્તા પછી હૈદરાબાદમાં મહિલા ડાક્ટરથી ગેરવર્તન મારપીટ CCTV ફુટેજ વાયરલ

લાશો સાથે બળાત્કાર, હાડપિંજર સાથે સોદો! કોલકત્તાના આરજી કર હોસ્પીટલની ડરામણી સત્યતા

પાલનપુરમાં ભારતનો બીજા નંબરનો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ તૈયાર, 12મી સપ્ટેમ્બરે લોકાર્પણ

સીપીએમ નેતા સીતારામ યેચુરીનુ નિધન, 72 વર્ષની વયે દિલ્હીના એમ્સમાં લીધા અંતિમ શ્વાસ

આગળનો લેખ
Show comments