Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના આ શહેરોમાં કલમ 144 લાગૂ, જાહેરસભા અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ

Webdunia
શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (18:52 IST)
નાગરિકતા સંશોધન એક્ટ અને NRCને લઈને ગુરૂવારે અમદાવાદના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગઇકાલે એટલે કે ગુરૂવારે અમદાવાદના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં છૂટક હિંસાના બનાવો બન્યા હતા. જેમાં કેટલાક પોલીસકર્મીઓ તથા મીડિયાકર્મીઓને ઇજા પહોંચી હતી. તો બીજી તરફ પ્રદર્શનકરીઓને અટકાવવા માટે પોલીસે ટીયરગેસ છોડ્યા હતા અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ત્યારે આજે વડોદરામાં જુમ્માની નમાઝ બાદ આજે વિરોધ પ્રદર્શન કરનારાઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા ત્યારે આજે આ કાયદાની ફરીવાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં કથળેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ અને સુરતમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે.

અમદાવાદના શાહ આલમ વિસ્તારમાં ગુરુવારે વિરોધ પ્રદર્શન કરનારાઓએ પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં ડીસીપી, એક એસીપી સહિત 21 પોલીસ જવાન ઘાયલ થયા છે. ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. સોલંકીની ફરિયાદના આધારે હજારો લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. ત્યારે આજે રાજકોટ અને વડોદરામાં કોઈ મોટી ઘટના ન બને તે માટે પહેલાથી જ શહેરમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે અને આ કાયદા મુજબ શહેરમાં કોઈ પણ પ્રકારની જાહેર સભા કે જાહેરમાં સરઘસ કાઢવામાં આવશે નહિં.

બીજી તરફ, બનાસકાંઠાના દરોડામાં ગુરુવારે લોકોએ એનઆરસી અને સીએએના વિરોધમાં રેલી કાઢી હતી અને દરોડા હાઈવે પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ વિરોધીઓએ પોલીસની ગાડી પર હુમલો કર્યો હતો. આ કેસમાં 3022 વિરોધીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે, જેમાંથી 22 ની ઓળખ થઈ ગઈ છે અને બાકીના લોકોને ઓળખવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ શોધી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments