Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્કૂલ વર્ધી સંચાલકોની ગૃહ રાજ્યમંત્રી સાથે બેઠક, હડતાલ સમેટાઇ, આજથી સ્કૂલ વાનો સ્કૂલ રીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ થશે

બાળકોની જીંદગી સાથે ચેડા થાય તેને રાજ્ય સરકાર ચલાવી લેવા માંગતી નથી : પ્રદિપસિંહ જાડેજા

Webdunia
શુક્રવાર, 21 જૂન 2019 (10:10 IST)
છેલ્લા કેટલાક દિવસની સ્કૂલ વર્ધીના વાન/રીક્ષા ચાલકો દ્વારા ચાલતી હડતાલને પગલે ગુરૂવારે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસીએશનના હોદ્દેદારો સાથે ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ બેઠક યોજી હતી. બેઠકમાં સ્કૂલ વર્ધી સંચાલકોને નડતાં પ્રશ્નો અને તેના વ્યવહારૂ ઉકેલ લાવવાની દિશાના પગલા બાબતે સફળ વાટાઘાટો થઇ હતી. જેના પગલે આજથી સ્કૂલ વર્ધી વાન / રીક્ષાઓ રાબેતા મુજબ બાળકોને શાળાએ લઇ જવાનું શરૂ કરશે.
 
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર બાળકોની જિંદગીને અગત્યની સમજે છે અને બાળકોની જીંદગી સાથે ચેડા થાય તેને કોઇકાળ ચલાવી લેવા માંગતી નથી. ગૃહ મંત્રીએ સ્કૂલ વર્ધી સંચાલકો સાથે બાળકોના હિતમાં કાર્ય કરવા અપીલ કરી સ્કૂલ વર્ધી સંચાલકોની વાહનોના રજિસ્ટ્રેશન, પાર્સિંગ ઝડપથી થાય તેમજ ખાનગીમાંથી ટેક્સી વાહનમાં કન્વર્ટ કરવાની સમય મર્યાદા વધારવાની માંગણીઓ પરત્વે સરકાર હકારાત્મક છે અને તે બાબતે આર.ટી.ઓ.ના કાયદાની મર્યાદામાં રહીને સ્કૂલ વર્ધી સંચાલકોની મુશ્કેલીઓ દૂર કરવાની ખાતરી આપી હતી.
 
સ્કૂલ વર્ધી યુનિયનને તેમનાં સ્કૂલ વર્ધી વાન/રીક્ષા ચાલકોને સમજાવવાં તથા કાયદા મુજબ જરૂરી રજિસ્ટ્રેશન કરાવવા સહકાર આપવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસીએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટે પણ રાજ્ય સરકારનાં સહકારની સરાહના કરી જરૂરી સહકારની ખાતરી આપી હતી. આ બેઠકમાં ટ્રાન્સપોર્ટ અગ્રસચિવ શ્રીમતી સુનયના તોમર, ટ્રાન્સપોર્ટ કમિશનર સોનલ મિશ્રા, પોલીસ કમિશનર મોહન ઝા, જોઇન્ટ પોલીસ કમિશનર મોથલિયા, વાહનવ્યવહાર વિભાગના અધિકારીઓ તથા સ્કૂલ વર્ધી એસોસીએશનનાં હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments